બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં રહસ્ય જાણવા માટે તપાસ ચાલી રહી છે. બિહાર પોલીસ પણ મુંબઈ પહોંચી ગઈ છે અને સુશાંતની બહેન, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, કુક, તેના મિત્રો અને સાથીદારો સહિત છ લોકોના નિવેદનો નોંધ્યા છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ તપાસ માટે બિહારથી આવેલી ટીમને સમર્થન નથી આપી રહી. દરમિયાન, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું કે જો સુશાંતના પિતા સીબીઆઈ તપાસની માંગ કરે છે તો તેઓ તેની ભલામણ કરશે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એક ન્યૂઝ ચેનલ સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી ધ્યાન આપી રહી છે. સુશાંતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો અને અમારી પોલીસ તપાસ માટે મુંબઈ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે જો સુશાંતના પિતા સીબીઆઈ તપાસની માંગ કરે છે તો રાજ્ય સરકાર તેના પર સૂચનો આપી શકે છે. બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કરી શકે છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ કરી રહેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસનો ટેકો નથી મળી રહ્યો. તેનાથી નારાજ બિહાર પોલીસ ટૂંક સમયમાં મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવશે. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કેસની સમીક્ષા કરી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે મુંબઇ પોલીસ તપાસમાં સહકાર આપી રહી નથી.
સુશાંત સિંહ આત્મહત્યા કેસની તપાસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીના સ્તરથી રોજ નજર રાખવામાં આવશે. ડીજીપીએ સમીક્ષાની બેઠકમાં આ કામ સોંપ્યું છે. જોકે, કયા પોલીસ અધિકારીને આ જવાબદારી સોંપવામાં આવી છે તે અંગે માહિતી આપવામાં આવી નથી. મોનિટરિંગ દરમિયાન, વરિષ્ઠ અધિકારીઓ દરરોજ તપાસ ટીમમાં સામેલ પોલીસ અધિકારીઓ સાથે વાત કરશે. તપાસમાં થયેલી પ્રગતિનો અહેવાલ તેમની પાસેથી લેવામાં આવશે અને આગળની કામગીરી સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.