ઉત્તરાખંડમાં પીવાના પાણીની કટોકટી વધી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનમાં રાજ્યમાં પીવાના પાણી અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ સમયે ટેન્કર દ્વારા પાણીનો પુરવઠો હોવો જોઈએ, પીવાના પાણીની લાઈનો દ્વારા સપ્લાય થવો જોઈએ, તેમજ જલ જીવન મિશનનું કામ વહેલી તકે પૂર્ણ કરવું જોઈએ.”
પાણીની કટોકટીની સ્થિતિ
જણાવી દઈએ કે રાજ્યમાં ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા સતત વધી રહી છે. અનેક વિસ્તારોમાં જળસંકટની સ્થિતિ વણસી રહી છે. એક તરફ નળમાં પાણી સુકાઈ ગયું છે તો બીજી તરફ લોકોને પાણી માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આ પ્રથમ વખત નથી. દર વર્ષે ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ડુંગરાળ વિસ્તારોમાં લોકોને પાણી મેળવવા માટે કેટલાય કિલોમીટર ચાલીને જવું પડે છે.
देहरादून: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने राज्य में पेयजल के संबंध में संबंधित विभाग के अधिकारियों के साथ समीक्षा बैठक की।
उन्होंने कहा, "इस समय टैंकरों से आपूर्ति हो, पेयजल लाइनों के माध्यम से आपूर्ति हो, साथ ही जल जीवन मिशन का काम जल्द से जल्द पूरा हो।"(1/2) pic.twitter.com/evdXeBJQcc
— ANI_HindiNews (@AHindinews) April 20, 2022
બીજું શું કહ્યું મુખ્યમંત્રીએ
સીએમએ કહ્યું કે જ્યાં પાઈપલાઈન નાખવામાં આવી છે ત્યાં પાણીનો સુચારુ પુરવઠો હોવો જોઈએ. અમે 2023 સુધીના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે એક બેઠક યોજી છે. અમારા કેટલાક કોન્ટ્રાક્ટરોની પણ સમસ્યાઓ છે, અમે ટૂંક સમયમાં કેબિનેટ સમિતિમાં તેનો ઉકેલ લાવીશું.
આ પણ વાંચો:ભાજપમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ એક્શન મોડમાં, સીએમ ગેહલોત સોનિયા ગાંધીને મળશે
