Not Set/ કરીના કપૂર ખાનની વધી મુશ્કેલીઓ, ધાર્મિક લાગણી દુભાવવા બદલ નોંધાઈ ફરિયાદ

મહારાષ્ટ્રના બીડ શહેરમાં, તેમના પુસ્તકના શીર્ષક સામે વાંધો ઉઠાવતા તેની સામે અને બે અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Trending Entertainment

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરની મુશ્કેલીઓ વધી શકે છે. હકીકતમાં, એક ખ્રિસ્તી જૂથે અભિનેત્રી કરીના કપૂર વિરુદ્ધ, 14 જુલાઇએ, તેમના અને મહારાષ્ટ્રના બીડ શહેરમાં, તેમના પુસ્તકના શીર્ષક સામે વાંધો ઉઠાવતા તેની સામે અને બે અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જૂથે તેના પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં અન્ય લેખકનું નામ પણ છે.

“શિંદે પોતાની ફરિયાદમાં કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લખાયેલા અને જુગરર્નાટ બુકસ દ્વારા પ્રકાશિત પુસ્તકનાં શીર્ષક “પ્રેગ્નન્સી બાઇબલ” નો સંદર્ભ આપ્યો છે. તેમણે કહ્યું છે કે પુસ્તકના શીર્ષકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાય છે.”

આ પણ વાંચો :એમેઝોન પ્રાઇમ વીડિયો પર 12 ઓગસ્ટના થશે શેરશાહનું પ્રીમિયર

મીડિયા રિપોર્ટ પ્રમાણે, અલ્પા ઓમેગા ક્રિશ્ચન મહાસંઘના અધ્યક્ષ આશિષ શિંદેએ આ મામલે IPCની કલમ 295-A હેઠળ કેસ નોંધવાની માગ કરી છે. જોકે હજુ કેસ નોંધાયો છે કે નહીં એની ચોખવટ થઈ નથી.

“કરીના કપૂર બુક લૉન્ચ થઈ ત્યારથી વિવાદોમાં છે. ઓલ ઇન્ડિયા માઈનોરિટી બોર્ડને પણ આ બુકના ટાઈટલ સામે વાંધો છે. બોર્ડના અધ્યક્ષ ડાયમંડ યુસેફે પણ ઓથર વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરી હતી.”

આ પણ વાંચો : આ શું થઇ ગયું પરિણીતી ચોપડાને, બહેન પ્રિયંકાએ ક્લિક કર્યો ફોટો

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) 

કરીના કપૂરનું નવું પુસ્તક 9 જુલાઈએ લોન્ચ થયું છે. તેણે પુસ્તકનું પ્રમોશન ઈન્સ્ટ્રાગ્રામ પર પણ કર્યું હતું. આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન મહાસંઘના અધ્યક્ષ આશિષ શિંદેએ બીડના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેમનો આરોપ છે કે પુસ્તકના ટાઈટલમાં બાઈબલ જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવું કરવાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. પ્રાપ્ત વિગતો મુજબ શિવાજી નગરમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

કરીના કપૂરે ફેબ્રુઆરીમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો. તેણે પુસ્તકના લોન્ચ વખતે જણાવ્યું કે ‘પ્રથમ અને બીજી પ્રેગ્નન્સી વખતે તેણે ફિઝિકલી અને ઈમોશનલી જે અનુભવ્યું તેનું વર્ણન તેણે પુસ્તકમાં કર્યું છે.’ કરીનાનો મોટો દીકરો તૈમૂર પાપારાઝીના ફેવરિટ છે. અત્યાર સુધી કરીનાએ નાના દીકરાનો ચહેરો મીડિયામાં ક્યાંય રીવીલ નથી કર્યો. બીજા પુત્રના નામ અંગે પણ કરીના અને સૈફે સત્તાવાર જાહેરાત નથી કરી. કેટલાક માધ્યમોમાં આવેલા અહેવાલ બાદ કરીનાના પિતા રણધીર કપૂરે પુષ્ટિ કરી હતી કે કરીનાના બીજા પુત્રનું નામ ‘જેહ’ છે.

આ પણ વાંચો :રાહુલ વૈદ્યના નામની મહેંદી લગાવી દિશા પરમારે, જુઓ વિડીયો અને ફોટો