સંસદની વિશેષાધિકાર સમિતિએ શુક્રવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અને આચરણ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાના મુદ્દા પર વિચારણા કરી હતી. હવે આગામી 30મી ઓગસ્ટે તેમને પોતાનો કેસ રજૂ કરવા માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં સહમતિ સધાઈ હતી કે કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ તેમને (અધિર રંજન ચૌધરીને) પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. એક સભ્યએ એવો મત પણ વ્યક્ત કર્યો હતો કે સત્રના બાકીના સમયગાળા (ચોમાસું) માટે સસ્પેન્ડ કરીને સભ્યને સજા થઈ ચૂકી છે. ફરીથી સજા કરવાનો કોઈ અર્થ નથી
પીએમ પર ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ
બેઠકમાં સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ સુનિલ સિંહ ઉપરાંત કે.કે. સુરેશ, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, ટી.આર. બાલુ, ભાજપના જનાર્દન સિંહ સિગ્રીવાલ, રાજુ બિષ્ટ, દિલીપ ઘોષ, રાજીવ પ્રતાપ રૂડી વગેરેએ ભાગ લીધો હતો. કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને 10 ઑગસ્ટના રોજ લોકસભા સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વર્તન વિશે કરેલી કેટલીક ટિપ્પણીઓને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.
સંસદીય કાર્ય મંત્રીએ પ્રસ્તાવ આપ્યો હતો
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે. કોંગ્રેસે ચૌધરીના સસ્પેન્શનને ‘અલોકતાંત્રિક’ અને ‘નિરંકુશ’ પગલું ગણાવ્યું હતું. સાથે જ ચૌધરીએ કહ્યું કે તેમણે વડાપ્રધાનનું અપમાન નથી કર્યું, પરંતુ ઉદાહરણ તરીકે કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો:ક્રમ લેન્ડરનું ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ, ISROએ સફળતા પર વ્યક્ત કરી ખુશી
આ પણ વાંચો:લગ્ન વગર જન્મેલા બાળકોને પણ પૈતૃક મિલકત મળી શકે? ટૂંક સમયમાં આવશે નિર્ણય
આ પણ વાંચો:કુપવાડામાં BSFની કાર્યવાહી, 800 કારતુસ અને પાંચ એકે રાઈફલ સહિત દારૂગોળો જપ્ત
આ પણ વાંચો:લાલુ યાદવ ફરી જશે જેલ? જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી CBI
