Chhotaudepur/ CCI દ્વારા કપાસ ખરીદી ઉપર નિયંત્રણ : દેવું કરીને પકવેલા કપાસને હવે ખડૂતો ક્યાં વેચશે…?

CCI દ્વારા કપાસ ખરીદી ઉપર નિયંત્રણ : દેવું કરીને પકવેલા કપાસને હવે ખડૂતો ક્યાં વેચશે…?

Top Stories Gujarat Others
kapas CCI દ્વારા કપાસ ખરીદી ઉપર નિયંત્રણ : દેવું કરીને પકવેલા કપાસને હવે ખડૂતો ક્યાં વેચશે...?

@ સુલેમાન ખત્રી,  છોટાઉદેપુર  
રાજ્યમાં 29 કેન્દ્રો ઉપર ટેકાના ભાવે કપાસની ખરીદી કરતાં સી.સી.આઈ દ્વારા કપાસ ખરીદી ઉપર દૈનિક નિયંત્રણ મૂકતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી એ.પી.એમ.સી જયાં કપાસ વેચવા આવેલા ખેડૂતો ના વાહનો ની લાંબી કતારો લાગી છે. પરંતુ સીસીઆઈના નવા નિયમ મુજબ આ તમામ ખેડૂતો પોતાની મહામહેનતે પકવેલા પાકને ટેકાના ભાવે નહિ વેચી શકે. સીસીઆઈ દ્વારા 24 મી ડિસેમ્બરે પરિપત્ર જાહેર કરી રાજ્યમાં  29 કેન્દ્રો ફકત 5000 ગાંસડી પ્રતિ દિન કપાસની જ ખરીદી કરી શકશે. હાલ માત્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના આઠ કેન્દ્રોમાં રોજ ની અંદાજે  10 હજાર ગાંસડી કપાસની આવક થાય છે.

જ્યારે સીસીઆઈ ના નવા નિયમ મુજબ 10 હજાર સામે ફકત  2150 ગાંસડી જ કપાસ ની ખરીદી કરાશે તો અન્ય 70 ટકા જેટલા ખેડૂતોના લોહી પરસેવાથી દેવું કરીને પકવેલા કપાસને ક્યાં વેચવા જશે એ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.

છોટાઉદેપુર આદિવાસી જિલ્લો છે અને મોટાભાગના ખેડૂતો ફક્ત ચોમાસા ખેતી ઉપર જ નિર્ભર છે, જેમાં પણ રોકડીયા પાક કપાસ ઉપર આદિવાસી ખેડૂતો વધુ નિર્ધારિત હોય છે તેવામાં સીસીઆઈ ના નવા નિયમે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે તો ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ જિલ્લાના એ.પી.એમ.સી સંચાલકો પણ સીસીઆઈના નવા નિયમો અંગે સરકારમાં રજુઆત કરીશું તેમ પત્રકારો સાથે વાતચીત જણાવ્યું હતું.

જો કે સી.સી.આઈ.એ પરિપત્રમાં ફેક્ટરીઓમાં કપાસનો ભરાવો અને ખેડૂતોને ચૂકવના નુ કારણ દર્શાવી ખેડૂતો ને તકલીફ ના પડે તે માટે  આ નિયમ અમલી કરાયો હોવાનું દર્શાવ્યું છે  પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો, નેતાઓ, એ.પી.એમ.સી સંચાલકો સહિત ખેડૂત આગેવાનો કપાસની ખરીદી ઉપર મૂકવામાં આવેલા નિયંત્રણને હટાવવાની માંગ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો