કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમારે સોનિયા ગાંધીની EDની પૂછપરછને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. સોનિયા ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે અમે 3-4 પેઢીઓથી ગાંધી પરિવાર (નેહરુ, ઈન્દિરા અને સોનિયા)ના નામે ખૂબ પૈસા કમાયા છે. હવે તેમની પડખે ઊભા રહેવાનો વારો છે. જો આપણે હવે તેમની મદદ માટે આગળ નહીં આવીએ તો આપણા ખોરાકમાં કીડા પડશે.
રમેશ કુમારના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. સુધાકરે વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું કે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ રમેશ કુમારે કહ્યું કે નેહરુ-ગાંધી પરિવારના નામે દરેક કોંગ્રેસીએ પોતાની આગામી 3-4 પેઢીઓ માટે સંપત્તિ બનાવી છે. હવે તેમની પડખે ઊભા રહેવાનો વારો છે. આપણે તેમની સાથે ઊભા રહીને આપણું ઋણ ચૂકવવું જોઈએ. બીજેપી નેતાએ લખ્યું કે બસ, આ મારું ટ્વીટ છે.
Senior Karnataka Cong leader and former Speaker Ramesh Kumar says every congressman has made enough wealth that lasts for 3-4 generations in the name of Nehru-Gandhi family and we should repay our debt by defending Sonia Gandhi against #ED summons.
That’s it, that’s the tweet! pic.twitter.com/RhCaOCuOoO
— Dr Sudhakar K (@mla_sudhakar) July 21, 2022
નોંધનીય છે કે ઈડીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 25 જુલાઈએ બીજા રાઉન્ડની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી છે. કોવિડમાંથી સાજા થઈ રહેલા કોંગ્રેસના નેતાની ગુરુવારે લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સોનિયા ગાંધીની પૂછપરછ તેમના કહેવા પર રોકી દેવામાં આવી હતી. જોકે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ઇડીએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેમની હવે પૂછપરછ કરવામાં આવશે નહીં અને તેઓ જઇ શકે છે.