મહારાષ્ટ્ર/ મુંબઈની ભાયખલા જેલમાં થયો કોરોના વિસ્ફોટ, 6 બાળકો સહિત 39 લોકો સંક્રમિત

મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટ નો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લાં 10 દિવસમાં છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

Top Stories India
ભાયખલા

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. રાજધાની મુંબઈની ભાયખલા જેલમાં કોરોના વિસ્ફોટનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લાં 10 દિવસમાં છ બાળકો સહિત કુલ 39 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુલ 120 કર્મચારીઓ અને કેદીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 39 લોકોને કોરોના થયો છે. તેમ છતાં, તેમાં કોરોનાના ગંભીર લક્ષણો મળ્યા નથી, તેમ છતાં તમામ કોવિડ સંક્રમિતોને આઇસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :અમેરિકાની યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પહોંચ્યા PM મોદી, જે.પી નડ્ડાએ કર્યું સ્વગત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીએ ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન કુલ 120 કેદીઓની તપાસ કરવામાં આવી. તેમણે કહ્યું કે ચેપથી પીડાતા 39 માંથી 36 લોકોને નજીકની પાટણવાલા સ્કૂલમાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તે જ સમયે, એક ગર્ભવતી મહિલાને સાવચેતીના ભાગરૂપે જીટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

કોરોના ચેપના ત્રીજી લહેરનો સામનો કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ની અછતના સંકટને ટાળવા માટે, રાજ્ય સરકારે ઓક્સિજન ઉત્પાદકોને ઓક્સિજનનો 95 ટકા સ્ટોક રાખવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો :આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ વધી રહ્યુ છે ‘ગુલાબ’ વાવાઝોડું, IMD એ જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ

આપને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસ ચેપના 28,326 નવા કેસો આવવાના કારણે, ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 3,36,52,745 થઈ ગઈ છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટ કરેલા ડેટા અનુસાર, 260 વધુ દર્દીઓના મોત સાથે કોવિડ -19 થી મૃત્યુઆંક વધીને 4,46,918 થયો છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 3,03,476 થઈ ગઈ છે જે ચેપના કુલ કેસોનો 0.90 ટકા છે જ્યારે કોવિડ -19 માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.77 ટકા છે.

આ પણ વાંચો :ભાજપે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી?કાર્યકર્તાઓને તૈયાર રહેવા જણાવ્યું

મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ અને 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો ખુલશે

મહારાષ્ટ્ર સરકારે 4 ઓક્ટોબરથી શાળાઓ, 7 ઓક્ટોબરથી ધાર્મિક સ્થળો અને 22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાનો નિર્ણય કર્યો છે. હવે બધા માટે મુંબઈ લોકલ ટ્રેન શરૂ કરવાની મુંબઈવસીઓની માંગ છે.

આ પણ વાંચો :PM મોદીએ ત્રણ દિવસની અમેરિકી યાત્રાને લઇને કર્યુ ટ્વીટ – US સાથે સંબંધો વધુ મજબૂત થશે