corona updet/ દેશમાં કોરોનાની રફતાર યથાવત,છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ,15 દર્દીઓના માેત

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 5,718 લોકોને રજા આપવામાં આવી છે. નવા કોરોના કેસ પછી, કોરોના કેસની કુલ સંખ્યા 4,32,45,517 પર પહોંચી ગઈ છે

Top Stories India
1 124 દેશમાં કોરોનાની રફતાર યથાવત,છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ,15 દર્દીઓના માેત

ભારતમાં કોરોનાના કેસો સતત ઝડપથી  વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના 8 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે સરકાર દ્વારા છેલ્લા 24 કલાકના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,822 નવા કેસ નોંધાયા છે.  કોરોનાને કારણે 15 લોકોના મોત થયા છે. આ આંકડા બાદ ભારતમાં સક્રિય કેસની કુલ સંખ્યા 53,637 પર પહોંચી ગઈ છે.

શિક્ષણ વિભાગ/ જમ્મુ-કાશ્મીરમાં આ જમાત સંચાલિત 300 શાળાઓને બંધ કરવાનો આદેશ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 5,718 લોકોને રજા આપવામાં આવી છે. નવા કોરોના કેસ પછી, કોરોના કેસની કુલ સંખ્યા 4,32,45,517 પર પહોંચી ગઈ છે, જ્યારે કુલ રિકવરી 4,26,67,088 છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,792 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 1,95,50,87,271 રસીકરણ કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર/ મુંબઇમાં શરૂ થશે આ સેવા,ગ્રાહકોને મળશે મોટી રાહત,જાણો

હવે જો આપણે આજે નોંધાયેલા કુલ કેસની સરખામણી પાછલા દિવસના એટલે કે 14 જૂનના આંકડા સાથે કરીએ તો કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે 14 જૂને કુલ 6594 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આજે 15 જૂને તેમાં લગભગ 3 હજારનો વધારો જોવા મળ્યો છે. જો કે આ પહેલા પણ છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ કોરોનાના લગભગ 8 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે છેલ્લા 20 દિવસમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. પરંતુ રાહતની વાત એ છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો નથી. એટલે કે, લોકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, જેના કારણે તેમને ઘરે ક્વોરેન્ટાઇન રહીને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેનું કારણ ઝડપી રસીકરણ હોવાનું માનવામાં આવે છે.