સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાના કારણે મૃત્યુ માટે વળતરના ખોટા દાવાની તપાસ કરવાની મંજૂરી આપી છે. હવે આંધ્રપ્રદેશ, ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્રમાં પાંચ ટકા દાવાની ચકાસણી કરવામાં આવશે. આ રાજ્યોમાં કોરોના મૃત્યુના સત્તાવાર આંકડા અને દાવાઓમાં ફરક જોવા મળ્યો છે.
કોર્ટે કોરોનાને કારણે મૃત્યુ માટે વળતરનો દાવો કરવાની સમય મર્યાદા પણ નક્કી કરી છે. 28 માર્ચ સુધી વળતરનો દાવો કરી શકાશે. આ સિવાય જો કોઈનું કોરોનાથી વધુ મૃત્યુ થાય છે, તો તે 90 દિવસની અંદર દાવો કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર પાંચ રાજ્યોમાં ૫૦ ટકા દાવાઓની તપાસ કરી શકે છે. કેન્દ્રએ એવા જ કેસોની તપાસ કરવી જોઈએ. જેના પર વધુ શંકા હોય. જણાવી દઈએ કે કેન્દ્રએ કોરોનાને કારણે થયેલા મૃત્યુ માટે 50 હજાર રૂપિયાનું વળતર સ્વીકાર્યું છે. 14 માર્ચે થયેલી સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે, જો આ રાહતનો દુરુપયોગ થઈ રહ્યો હોય તો તેની તપાસ CAG દ્વારા થવી જોઈએ.
ગયા વર્ષે 4 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય આપત્તિ ભંડોળમાંથી તમામ રાજ્યોએ કોરોનાને કારણે મૃત્યુ માટે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, પ્રમાણપત્ર પર મૃત્યુનું કારણ લખેલું હોય કે ન હોય, કોઈપણ રાજ્ય વળતરનો ઇનકાર કરી શકે નહીં.
મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 5.16 લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ સ્વાસ્થ્ય મંત્રાલયનો સત્તાવાર આંકડો છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોરોનાને કારણે 2.36 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.