Not Set/ કોરોનાથી થતા મોતને અટકાવે છે સૂર્યપ્રકાશ, સંશોધકોના અભ્યાસમાં દાવો

છેલ્લા એક વર્ષથી, વિશ્વભરના વૈજ્ઞાનિક કોવિડ -19 વિશે ઘણા અભ્યાસ કર્યા છે. આ હોવા છતાં, કોરોના વાયરસ નામની આ મહામારી દરરોજ હજારો લોકોને ભોગ બનાવી રહ્યું છે. 

Top Stories Lifestyle

છેલ્લા એક વર્ષથી, વિશ્વભરના વૈજ્ઞાનિક કોવિડ -19 વિશે ઘણા અભ્યાસ કર્યા છે. આ હોવા છતાં, કોરોના વાયરસ નામની આ મહામારી દરરોજ હજારો લોકોને ભોગ બનાવી રહ્યું છે.  કોરોના મહામારીએ કરોડો લોકોને તેની ઝપેટમાં લઇ લીધી છે.

ભારતમાં પણ કોવિડ -19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે. વૈજ્ઞાનિકો પણ આ આ જીવલેણ આ જીવલેણ મહામારીથી છૂટકારો મેળવવા માટે દરરોજ અભ્યાસ કરે છે. તાજેતરમાં જ કોરોના પર બીજો એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અધ્યયમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૂર્યપ્રકાશમાં વધુ સમય પસાર કરવા, ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવવાથી કોવિડ -19 થી થતા મૃત્યુને ઘટાડી શકાય છે.

આ પણ વાંચો :ડાયાબિટીસથી દૂર રાખે છે ફિલટર કૉફી, આ રીતે કરો તેનો ઉપયોગ

યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનકારોનું માનવું છે કે સૂર્યપ્રકાશના લાંબા સમય સુધી સંપર્ક રહેવાથી મૃત્યુદર ઘટાડવામાં અને સામાન્ય લોકોનું આરોગ્ય જાળવવામાં મદદ મળી શકે છે.

બ્રિટિશ જર્નલ ઓફ ડમોટોલોઝોમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જાન્યુઆરી અને એપ્રિલ 2020 ની વચ્ચે યુ.એસ. ખંડમાં મૃત્યુ સાથે અલ્ટ્રાવાયોલેટ સ્તરની તુલના કરવામાં આવી હતી. આ અધ્યયન દરમિયાન ટીમે શોધી કાઢ્યું  છે કે જે વિસ્તારોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોનું સંસર્ગ વધારે છે, ત્યાં કોવિડ -19 થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઓછી છે. ઇંગ્લેન્ડ અને ઇટાલીમાં કરાયેલા અભ્યાસમાં સંશોધનકારોને કેટલાક સમાન પરિણામો મળ્યા છે.

આ પણ વાંચો :ફિલ્મઉદ્યોગ ભયના ઓથાર હેઠળ, ભીડભાડવાળા સીન અને શૂટિંગ પર સ્વૈચ્છિક પ્રતિબંધ

આ પણ વાંચો :આજથી મહારાષ્ટ્રમાં 2 દિવસ વીકએન્ડ લોકડાઉન, રસ્તા પર છવાયો સન્નાટો