જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ દ્વારા ઘૂસણખોરીના અનેક પ્રયાસો વચ્ચે, ભારતનાં આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાને ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન તેની ખતરનાક હરકતોથી બાદ આવી રહ્યું નથી. તે શિયાળા પહેલા ઘણા આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતની આતંકવાદ વિરોધી ગ્રીડે આવા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
સૈન્યના વડાએ કહ્યું કે – પાકિસ્તાન ઠંડી પહેલા સરહદ પારથી આતંકવાદીઓને મોકલવાની તેની ખતરનાક યોજનાઓ પડતી મુકવા માટે ઇચ્છુક નથી. તેમણે કહ્યું, “જો કે, આપણી આતંકવાદ અને કાઉન્ટર-વિદ્રોહ ગ્રિડો અદભૂત અને ખૂબ અસરકારક છે. સુરક્ષા દળોએ નિયંત્રીત રીતે ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા છે અને ઘૂસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે.”
સેના પ્રમુખે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના નિયંત્રણ રેખા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આતંકવાદ વિરોધી કામગીરી દરમિયાન પ્રાપ્ત સફળતા પર ટિપ્પણી કરી રહ્યા હતા. આપને જણાવી દઇએ કે, છેલ્લા ત્રણ સપ્તાહમાં 24 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સુરક્ષા દળો દ્વારા કુલ 17 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ વિદેશી પાકિસ્તાનીઓ શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….