દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે RFID ટેક્નોલોજી આધારિત ટૅગ્સ રજૂ કર્યા છે, જે મુસાફરો માટે તેમના સામાનનું નિરીક્ષણ કરવાનું સરળ બનાવશે. ઘણી વખત મુસાફરોને કયા બેલ્ટ પર સામાન આવે છે તે જાણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સામાન ખોવાઈ જવાની પણ શક્યતા રહે છે, તેથી મુસાફરોની સરળતા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.
બુધવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી પર આધારિત ટેગની મદદથી મુસાફરો એ જાણી શકશે કે, તેમનો સામાન ટર્મિનલમાં ક્યારે અને કયા બેલ્ટ પર આવી રહ્યો છે. GMR ગ્રૂપની આગેવાની હેઠળના DIALએ જણાવ્યું હતું કે આ સુવિધા આપનારું દિલ્હી એરપોર્ટ ભારતનું પ્રથમ એરપોર્ટ છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફરો દિલ્હી એરપોર્ટ પર આ ટેગ ખરીદી શકશે. આ પછી, તેઓએ તેના પર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવો પડશે અને ‘bag.hoi.in’ વેબસાઇટ પર નોંધણી કરવી પડશે. ટેગ નોંધાયા પછી, મુસાફરોએ તેને તેમની બેગમાં બાંધવું પડશે અથવા તેઓ તેને બેગની અંદર પણ રાખી શકશે.
જ્યારે માલ દિલ્હી એરપોર્ટ પર પહોંચશે, ત્યારે મુસાફરોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા તેની માહિતી મળવાનું શરૂ થશે. આ સુવિધા પ્રાયોગિક ધોરણે ટર્મિનલ 3 પર શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વ્યવસાયિક રીતે શરૂ કરવામાં આવશે, નિવેદનમાં જણાવાયું છે.
આ પણ વાંચો-મુંદ્રા બંદરે પહોચેલા પનામા જહાજનો ચાઇનીઝ ક્રૂ મેમ્બર મધદરિયે ગુમ
