રાજકીય/ ‘આપની સરકાર બનશે તો ગુજરાતમાં પણ દિલ્હી જેવું ઉત્તમ શિક્ષણ હશે’, જીતુ વાઘાણીને મનીષ સિસોદિયાનો જવાબ

મનીષ સિસોદિયાએ કહ્યું છે કે કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે તમે લોકો આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ દિલ્હી જેવું અદ્ભુત શિક્ષણ હશે.

Top Stories Gujarat

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર હવે અહીં રાજકારણ ગરમાયું છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ બુધવારે રાજકોટમાં નિવેદન આપ્યું હતું કે જેમને ગુજરાતનું શિક્ષણ પસંદ નથી, તેઓ ગુજરાત છોડી શકે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદન પર દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ પલટવાર કર્યો છે.

મનીષ સિસોદિયાએ કહ્યું છે કે કોઈએ ગુજરાત છોડવાની જરૂર નથી. તેમણે લોકોને અપીલ કરી છે કે તમે લોકો આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ દિલ્હી જેવું અદ્ભુત શિક્ષણ હશે. આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જો કોઈને ગુજરાતનું શિક્ષણ પસંદ નથી, તો તેને જ્યાં પણ શિક્ષણ પ્રણાલી ગમતી હોય તે રાજ્ય છોડીને ત્યાં જઈ શકે છે.

શિક્ષણ મંત્રી જીતુ વાધાણીના આ નિવેદન બાદ સરકારની ભારે ટીકા થઈ રહી છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે અને આમ આદમી પાર્ટી ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવી રહી છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતુ વાઘાણીના નિવેદન પર સવાલ ઉઠાવી રહી છે

જીતુ વાઘાણીના આ નિવેદન બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત સવાલો ઉઠાવી રહી છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ ગુજરાતની જનતાને ધમકી આપી છે કે જેમને સારું શિક્ષણ જોઈએ છે તેમણે દિલ્હી જવું જોઈએ. ભાજપ 27 વર્ષમાં પણ સારું શિક્ષણ આપી શકી નથી. લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી. લોકો ગુજરાતમાં “આપ” ની સરકાર બનાવશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું અદ્ભુત શિક્ષણ હશે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું છે કે, પોસ્ટ 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે.

Life Management / પુત્રએ પૂછ્યું, “શા માટે સમાજમાં કોઈને વધુ માન આપવામાં આવે છે અને કોઈ ને ઓછું ?” પિતાએ જણાવ્યું આ ખાસ કારણ

આસ્થા / મંગળના અશુભ પ્રભાવથી બચવા પરવાળા પહેરો, પરંતુ આ 4 બાબતોનું ધ્યાન રાખો, નહીં તો….

ગ્રહોના ફેરફારો / 7-8 એપ્રિલે 2 ગ્રહો રાશિ પરિવર્તન કરશે, શનિ-મંગળનો અશુભ યોગ 17 મે સુધી રહેશે, બુધાદિત્ય રાજયોગ સમાપ્ત થશે