દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. EDના સમન્સની અવગણના કરી રહેલા CM કેજરીવાલને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કરીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યાર સુધી દિલ્હીના સીએમ કેજરીવાલને 5 સમન્સ જારી કરવામાં આવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પૂછપરછ માટે રાજી થયા નથી.
આ તારીખે હાજર થવાનો આદેશ
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 5 સમન્સ છતાં દિલ્હીના સીએમ કેજરીવાલ હાજર ન થવા સામે ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બુધવારે આ મામલામાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હીના સીએમ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..
આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…
આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી
