54 વર્ષીય નીરજ વોરાએ 14 ડીસેમ્બર લગભગ સવારના 4 વાગે મુંબઈના ક્રિટી કેયર હોસ્પીટલમાં છેલ્લાં શ્વાસ લીધાં હતાં. લેખક અને અભિનેતા નીરજ વોરા લાંબી બીમાર પછી તેમણું નિધન થયું છે. નીરજ વોરાનું પાર્થિવ શરીર પેહલા ફિરોજ નડિયાદવાલાના ઘરે લઇ જવામાં આવશે. પછી તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે ટ્વીટ કરીને તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, નીરજ વોરા “ફિર હેર ફેરી” જેવી અનેક ફિલ્મોનાં લેખક અને ડાયરેક્ટર હવે નથી રહ્યાં. ઓમ શાંતિ.” તુષાર કપૂર, અશોક પંડિતે પણ તેમણે શ્રન્ધાજલિ આપી હતી.