Pooja Khedkar/ ડોક્ટરે કહ્યું ટ્રેઇની IAS પૂજા ખેડકરને 7% ડિસેબિલિટી છે, ક્વોટામાંથી સિલેક્શન માટે 40% ડિસેબિલિટી જરૂરી છે

મહારાષ્ટ્રની તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદોમાં ફસાયેલી છે. તેની સાથે જોડાયેલી ચોંકાવનારી વાતો દરરોજ સામે આવી રહી છે. તમામ આરોપો વચ્ચે તેમણે નોકરીમાં જે ડિસેબિલિટી સર્ટિફિકેટનો લાભ લીધો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 17T181921.856 ડોક્ટરે કહ્યું ટ્રેઇની IAS પૂજા ખેડકરને 7% ડિસેબિલિટી છે, ક્વોટામાંથી સિલેક્શન માટે 40% ડિસેબિલિટી જરૂરી છે

મહારાષ્ટ્રની તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિવાદોમાં ફસાયેલી છે. તેની સાથે જોડાયેલી ચોંકાવનારી વાતો દરરોજ સામે આવી રહી છે. તમામ આરોપો વચ્ચે તેમણે નોકરીમાં જે ડિસેબિલિટી સર્ટિફિકેટનો લાભ લીધો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમની નોકરીના મામલાની તપાસ માટે કેન્દ્ર સરકારે એક સમિતિની રચના કરી છે. આ દરમિયાન પુણેના એક ડોક્ટરે પૂજાના ડિસેબિલિટી સર્ટિફિકેટ અંગે માહિતી આપી છે.

અધિકારીએ ખોટું સરનામું પણ આપ્યું હતું

પુણે, એજન્સીઓ. UPSC સિલેક્શનને લઈને વિવાદમાં ફસાયેલી ટ્રેઈની IAS ઓફિસર પૂજા ખેડકરનું ડિસેબિલિટી સર્ટિફિકેટ સામે આવ્યું છે.

યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ (YCM) હોસ્પિટલ, પુણે તરફથી 24 ઓગસ્ટ 2022ના રોજ જારી કરાયેલા આ પ્રમાણપત્રમાં, તેમને 7% અપંગ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

UPSC નિયમો અનુસાર, વિકલાંગ ક્વોટા હેઠળ પસંદગી માટે 40% વિકલાંગતા હોવી જરૂરી છે.

YCM ડીન રાજેન્દ્ર વાબલે જુલાઈ 16 ના રોજ કહ્યું – 7% નો અર્થ છે કે શરીરમાં કોઈ મોટી વિકલાંગતા નથી. પૂજાનો કેસ લોકોમોટર ડિસેબિલિટી એટલે કે ચાલવામાં તકલીફ સાથે સંબંધિત છે.

પુણેની ડિસેબિલિટી કમિશનરની ઓફિસે પોલીસને પૂજા ખેડકરે રજૂ કરેલા પ્રમાણપત્રની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સર્ટિફિકેટમાં પૂજાએ ખોટું સરનામું પણ આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IELTSની જફા વગર યુકે જવું છે, હાલમાં છે જબરદસ્ત તક

આ પણ વાંચો:યુપી ભાજપમાં થઈ શકે છે મોટો બદલાવ, આ નેતાએ PM મોદી સાથે કરી મુલાકાત

આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું