Bullet Train/ દિલ્હી-અમૃતસર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું DPR કામ પૂર્ણ, 456 કિલોમીટર લાંબા રૂટ પર 13 સ્ટેશન બનાવાશે

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેનની ભેટ ટૂંક સમયમાં દેશવાસીઓને મળવા જઈ રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાં બુલેટ ટ્રેન માટે સાત રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

Top Stories India
bullet train

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેનની ભેટ ટૂંક સમયમાં દેશવાસીઓને મળવા જઈ રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાં બુલેટ ટ્રેન માટે સાત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી 459 કિલોમીટર લાંબા દિલ્હી-ચંદીગઢ-લુધિયાણા-જાલંધર-અમૃતસર રૂટનો પણ સમાવેશ થાય છે. નવીનતમ માહિતી અનુસાર, આ બુલેટ ટ્રેનના આ રૂટ પર ડીપીઆરનું કામ પૂર્ણ થઈ ગયું છે. દિલ્હી-અમૃતસર હાઈ સ્પીડ બુલેટ રેલ કોરિડોર પ્રોજેક્ટના કામમાં ઘણો વેગ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત એરિયલ સહિતની તમામ જરૂરી સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે સર્વેના આધારે મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે હવે પૂર્ણ થઈ ગયું છે. ડીપીઆરનું કામ પૂરું થયા પછી, એવી અપેક્ષા છે કે દિલ્હી-અમૃતસર હાઈ સ્પીડ બુલેટ રેલ કોરિડોર પ્રોજેક્ટનું ગ્રાઉન્ડ વર્ક શક્ય તેટલું જલ્દી શરૂ થઈ જશે.

456 કિલોમીટર લાંબા રૂટ પર 13 સ્ટેશન બનાવવામાં આવશે

દિલ્હી-અમૃતસર માર્ગની સૂચિત લંબાઈ 456 કિમી છે. દિલ્હીથી શરૂ થઈને આ રેલ્વે લાઈન અસોડા, રોહતક, જીંદ, કૈથલ, સંગરુર, માલેરકોટલા, લુધિયાણા, જલંધર અને અમૃતસર સુધી જશે. આ રૂટ પર કુલ 13 સ્ટેશન બનાવવામાં આવશે. ચંદીગઢને દિલ્હી-ચંદીગઢ-અમૃતસર બુલેટ ટ્રેન રૂટ સાથે જોડવા માટે સંગરુરથી એક અલગ લાઇન બનાવવામાં આવશે. આ લાઇન પર કુલ 13 સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં દિલ્હી, અસોદા, રોહતક, જીંદ, કૈથલ સંગરુર, માલેરકોટલા, લુધિયાણા, જલંધર, અમૃતસર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: વારાણસીને મળશે નાઈટ માર્કેટની ભેટ, PM મોદી 7 જુલાઈએ કરશે ઉદ્ઘાટન