Not Set/ એક મરઘીના કારણે દેરાણી-જેઠાણી બન્યા દુશ્મન, પતિ-પત્નીએ ખાધું ઝેર  

દેરાણી-જેઠાણી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પછી જોતાં જ મામલો એટલો બગડ્યો કે દિયર-દેરાણી મોતને વ્હાલું કરવા માટે ઝેર પણ ખાઈ લીધું.

India
મરઘીના

મધ્યપ્રદેશના છિંદવાડામાંથી એક ચોંકાવનારો અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ જાણીને કેટલાક લોકો હસીપડ્યા છે તો કેટલાક ચોંકી ઉઠયા છે કે આવું પણ થઈ શકે છે. કારણ કે અહીં એક મરઘીના કારણે દેરાણી-જેઠાણી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પછી જોતાં જ મામલો એટલો બગડ્યો કે દિયર-દેરાણી મોતને વ્હાલું કરવા માટે ઝેર પણ ખાઈ લીધું. જોકે સમયસર હોસ્પિટલ લઈ જવાના કારણે બંનેના જીવ બચી ગયા હતા. આવો જાણીએ આ વિવાદ પાછળનું સાચું કારણ…

વાસ્તવમાં, આ વિચિત્ર મામલો છિંદવાડા જિલ્લાના ધરમટેકડીના ઝિરલિંગા ગામનો છે. જ્યાં એક પરિવારની બે પુત્રવધૂ વચ્ચે મરઘીને જમવાનું એઠું આપવા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. દેરાણીએ પોતાના માટે ખોરાક રાંધ્યો હતો, પરંતુ જેઠાણીની મરઘીએ તે એઠું કરી દીધું હતું. જે બાદ દેરાણીએ આ અંગે ફરિયાદ કરતાં જેઠા-જેઠાણી સાથે બોલાચાલી થઈ હતા. બસ આ જ કારણે બંને મહિલાઓ ઝઘડવા લાગી હતી. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જે બાદ વિનોદ અને તેની પત્ની કમલાએ ગુસ્સામાં ઝેર પી લીધું હતું.

આ કેસની તપાસ કરી રહેલા સીએસપી મોતીલાલ કુશવાહાએ કહ્યું કે હાલમાં પોલીસે જેઠાણી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સાથે જ પરિવારના સભ્યો અને પડોશીઓની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે દેરાણી-જેઠાણીમાં પહેલાથી જ લડાઈ ચાલી રહી હતી. એક જ ઘરમાં રહેતાં છતાં પણ તે અલગ રહેતી હતી. બંને વચ્ચેના ઝઘડાને કારણે બંને ભાઈઓ પણ સાથે નહોતા મળતા. પરંતુ હવે આ લડાઈણી આગમાં ઘી ઉમેરવાનું કામ મરધીએ કર્યું છે. તે જ સમયે, કમલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેની જેઠાણીએ આ બધું જાણી જોઈને કર્યું છે.

આ પણ વાંચો :દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો, સરકારે કોવિડ કેર કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય કર્યો

આ પણ વાંચો :કાયદો અને વ્યવસ્થાને લઈને CM ભગવંત માનનું મોટું પગલું, એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના થશે

આ પણ વાંચો :ચાલતી બસમાં ફેલાયો કરંટ, 2 ભાઈઓ સહિત 3ના મોત 

આ પણ વાંચો :સેનામાં ભરતીની માંગણી સાથે દિલ્હી સુધી દોડ્યો યુવક, 50 કલાકમાં પૂર્ણ કર્યો આટલો સફર