Mumbai News: આ કેસ 2017 થી 2019 સુધીનો છે. આ સમયગાળા દરમિયાન, યસ બેંકે અનિલ અંબાણી સાથે જોડાયેલ રિલાયન્સ ગ્રુપ કંપનીઓને લગભગ 3,000 કરોડ રૂપિયાની લોનની મંજૂરી આપી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ₹ 3000 કરોડના લોન છેતરપિંડી કેસમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને નોટિસ મોકલી. ED 5 ઓગસ્ટે તેમની પૂછપરછ કરશે.
છેલ્લા અઠવાડિયાએ ED એ મુંબઈ અને દિલ્હી સહિત અનિલની 50 થી વધુ કંપનીઓ અને સ્થળો પર રેડ પડી હતી. જેમાં 25 થી વધુ લોકોની પણ પૂછપરછ થઈ હતી.
આ રેડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ કેસમાં પૂછપરછ માટે આ નોટિસ મોકલવામાં આવી છે. ED ટીમ સવારે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓ પર રેડ પાડવા ગઈ હતી.

અનિલ અંબાણીના ગ્રુપ સામે કાર્યવાહી કેમ
આ કેસ 2017 થી 2019 દરમિયાન અનિલ અંબાણી સાથે જોડાયેલી રિલાયન્સ ગ્રુપ કંપનીઓને યસ બેંક દ્વારા આપવામાં આવેલા લગભગ 3,000 કરોડ રૂપિયાના લોન સાથે જોડાયેલ છે.
ED ની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લોન કથિત રીતે નકલી કંપનીઓ અને ગ્રુપની અન્ય સંસ્થાઓને વાળવામાં આવી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે યસ બેંકના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હોઈ શકે છે.
ED તપાસમાં બીજું શું બહાર આવ્યું
ED કહે છે કે બેંકો, શેરધારકો, રોકાણકારો અને અન્ય જાહેર સંસ્થાઓને ખોટી માહિતી આપીને ભંડોળની ઉચાપત કરવાની આ “સુવિચારિત અને સુનિયોજિત” યોજના હતી. તપાસ દરમિયાન, ઘણી ગેરરીતિઓ જોવા મળી. જે નીચે મુજબ છે.
નબળી અથવા ચકાસાયેલ ન હોય તેવી કંપનીઓને લોન.
બહુવિધ કંપનીઓમાં એક જ ડિરેક્ટર અને સરનામાનો ઉપયોગ.
લોન સંબંધિત જરૂરી દસ્તાવેજોનો અભાવ.
નકલી કંપનીઓમાં ભંડોળ ટ્રાન્સફર.
જૂની લોન ચૂકવવા માટે નવી લોન આપવાની પ્રક્રિયા (લોન એવરગ્રીનિંગ).
આ કેસમાં CBIનો ભાગ કેટલો
CBI એ બે કેસમાં FIR નોંધી હતી. આ કેસ યસ બેંક દ્વારા રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડને આપવામાં આવેલી બે અલગ અલગ લોન સાથે સંબંધિત છે. બંને કિસ્સાઓમાં, CBI એ યસ બેંકના ભૂતપૂર્વ CEO રાણા કપૂરનું નામ આપ્યું હતું.
આ પછી, એક અધિકારીએ જણાવ્યું હતું કે નેશનલ હાઉસિંગ બેંક, SEBI, નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અને બેંક ઓફ બરોડા જેવી અન્ય એજન્સીઓ અને સંસ્થાઓએ પણ ED સાથે માહિતી શેર કરી હતી. હવે ED આ બાબતની તપાસ કરી રહી છે.

અનિલ અંબાણીની કંપનીઓ પર શું અસર પડશે.
રેડ બાદ, અનિલ અંબાણીની બે મોટી કંપનીઓ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવરના શેર 5% ઘટ્યા. આજે, નોટિસના સમાચાર બાદ, તેમાં 3% ઘટાડો થયો છે.
આ વિશે રિલાયન્સ પાવરે કહ્યું કે આ પગલાથી કંપનીના વ્યવસાય, નાણાકીય કામગીરી, શેરધારકો, કર્મચારીઓ અથવા અન્ય કોઈપણ ભાગેદારો પર કોઈ અસર થશે નહીં.
કંપનીએ કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) અથવા રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) સાથે સંકળાયેલા 10 વર્ષ જૂના વ્યવહારો સંબંધિત આરોપો વિશે વાત કરી રહ્યા છે.
રિલાયન્સ પાવર એક અલગ અને સ્વતંત્ર લિસ્ટેડ કંપની છે જેનો RCOM અથવા RHFL સાથે કોઈ વ્યવસાયિક કે નાણાકીય સંબંધ નથી.

અનિલ અંબાણીની કંપનીઓ સામે બીજા આરોપો
ગત દિવસોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને અનિલ અંબાણીને “છેતરપિંડી કરનાર” જાહેર કર્યા હતા.
SBI કહે છે કે RCom એ બેંકમાંથી લીધેલા 31,580 કરોડ રૂપિયાના લોનનો દુરુપયોગ કર્યો. આમાંથી લગભગ 13,667 કરોડ રૂપિયા અન્ય કંપનીઓના દેવા ચૂકવવા પાછળ ખર્ચવામાં આવ્યા હતા. 12,692 કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
SBI એ એમ પણ કહ્યું કે તે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં કરી હતી. આ ઉપરાંત, અનિલ અંબાણી સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈમાં વ્યક્તિગત નાદારીની કાર્યવાહી પણ ચાલી રહી છે.
આ પણ વાંચો:ભારત અવકાશમાં ઇતિહાસ રચશે… નાસા-ઇસરોનું NISAR મિશન આજે લોન્ચ થશે
આ પણ વાંચો:પ્રેમના બહાને નાની છોકરીઓ સાથે ગંદી હરકતો કરતો હતો, મામલો સામે આવતા શિક્ષકે ઠપકો આપ્યો!
આ પણ વાંચો:આજે દિલ્હી-યુપીમાં ભારે વરસાદ પડશે, હિમાચલ-ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ચેતવણી

