અજય દેવગનની 100 મી ફિલ્મ તાનાજી: અનસંગ વોરિયર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને હવે તેનું પહેલું સોંગ પણ રીલીઝ કરવામાં આવ્યું છે. તાનાજીના પહેલા ગીત ‘શંકરા રે શંકરા’માં અજય દેવગન વોરિયર લુકમાં જોવા મળી રહ્યા છે.
શંકરા રે શંકરા ગીત મેહુલ વ્યાસે ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. આ ગીત માટેના લીરીક્સ અનિલ વર્માએ લખ્યા છે.
સોશિયલ મીડિયા પર ગીત શેર કરતી વખતે અજય દેવગને લખ્યું – ડંકે કી ચોટ બજેગા એક હી નારા, શંકરા રે શંકરા ગાના રિલીઝ.
આપને જણાવી દઈએ કે તાનાજી: અનસંગ વોરિયરમાં અજય દેવગણ,સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરી સાથે મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.