કાશ્મીર ખીણમાં 2 આતંકવાદીઓ સાથે ધરપકડ કરાયેલા ડીએસપી દવિન્દ્ર સિંહ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારનો ઘેરાવ શરૂ કર્યો છે. પુલવામા હુમલામાં દવિન્દ્ર સિંહની ભૂમિકા અંગે કોંગ્રેસે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી સિમી ગ્રેવાલએ ટ્વીટ કર્યું હતું, જેના પર ઘમાસાણ મચી ગયું છે.
સિમી ગ્રેવાલે ટ્વીટ કર્યું હતું કે ‘આતંકવાદીઓને દિલ્હી લાવો. પ્રજાસત્તાક દિન પર બ્લાસ્ટ. સેંકડો મોત.પછી મુસ્લિમો પર આરોપ અને તેમને ટાર્ગેટ કરો.શું ખરેખર આવું જ થવાનું હતું?
https://twitter.com/Simi_Garewal/status/1217396549388386306
સિમરી ગ્રેવાલના આ ટ્વિટ પર એક યૂઝરે અભિનેત્રીની કસ્ટડીની માંગ કરીને ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસને ટેગ કર્યા છે. તે જ સમયે, બીજા વપરાશકર્તાએ સવાલ કર્યો કે શું તેનો પરિવાર ભારતમાં શરણાર્થી તરીકે આવ્યો છે?
આના જવાબમાં સિમીએ કહ્યું કે તેમના પરિવારની ત્રણ પેઢી દેશને સમર્પિત છે. તેઓ બધા આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે બહાદુરીથી દેશની સેવા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.