ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદાના ટોપ કોમેડી શોમાંનો એક છે. હંમેશાં પેટ પકડીને હસાવતો આ શોના સેટ પર માતમ છવાઈ ગયો છે. જ્યારે આ ટીમના એક સદસ્યના મોતના સમાચાર સામે આવ્યા. તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના મેકઅપ કલાકાર આનંદ પરમારમાં થયું હતું. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને આખી ટીમ ચોંકી ગઈ છે.
એક વેબસાઇટ અનુસાર આનંદ પરમાર છેલ્લા 10 દિવસથી બીમાર હતા. તેમનું અવસાન શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીએ થયું હતું. રવિવારે સવારે 10 વાગ્યે મુંબઇના કાંદિવલી વેસ્ટ સ્થિત હિન્દુ સ્મશાનગૃહમાં તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ટીમના સભ્યો તેને પ્રેમથી તેને આનંદ દાદા કહેતા હતા.
આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સાથે સંકળાયેલા હતા. તે શોના બધા કલાકારોનો મેકઅપ કરતા હતા. શોની ટીમ તેમની સાથે ખૂબ જ જોડાયેલ હતી, તેથી જ દરેક જણ તેના મૃત્યુના સમાચાર સાંભળીને દુખી થયા છે. આ સમાચાર બાદ રવિવારે સિરિયલનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે, વર્ષ 2018 ની શરૂઆતમાં તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના ડોક્ટર હાથી એટલે કે કવિકુમાર આઝાદના અચાનક મોતથી પણ બધાને હચમચાવી દીધા હતા. કાર્ડિયાક અરેસ્ટને કારણે કવિનું નિધન થયું હતું. તેઓ પણ થોડા દિવસોથી બીમાર હતા. બેચેનીની ફરિયાદ થતાં તેને હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરાયા હતા. હવે શોના મેકઅપની આર્ટિસ્ટનું પણ નિધન થયું છે.જ્યાં સુધી આનંદ પરમારની વાત છે, હવે ટીમને તેની બદલીની જરૂર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.