Not Set/ તમામ આર્થિક પગલા પછી પણ સપ્ટેમ્બરમાં ઉત્પાદન નબળું, PMI ઓગસ્ટ જેટલો જ !

સપ્ટેમ્બરમાં પણ મેન્યુફેક્ચરીંગ સુસ્ત રહ્યું સપ્ટેમ્બર PMI 51.4% રહ્યો ઓગસ્ટમાં પણ આટલો જ હતો ચિંતાના મુદ્દા શું છે? કંપનીઓમાં આશાવાદ નબળો સપ્ટેમ્બરમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર નબળું રહ્યું છે અને આત્મવિશ્વાસ વધે તેવા હજુ સુધી કોઈ સંકેત પણ નથી. સપ્ટેમ્બર મહિનામાં નિક્કી મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)ઓગસ્ટની જેમ 51.4 ટકા રહ્યો નોંધાયો છે. આ સર્વે IHS […]

Top Stories Business
  • સપ્ટેમ્બરમાં પણ મેન્યુફેક્ચરીંગ સુસ્ત રહ્યું
  • સપ્ટેમ્બર PMI 51.4% રહ્યો
  • ઓગસ્ટમાં પણ આટલો જ હતો
  • ચિંતાના મુદ્દા શું છે?
  • કંપનીઓમાં આશાવાદ નબળો

સપ્ટેમ્બરમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર નબળું રહ્યું છે અને આત્મવિશ્વાસ વધે તેવા હજુ સુધી કોઈ સંકેત પણ નથી. સપ્ટેમ્બર મહિનામાં નિક્કી મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)ઓગસ્ટની જેમ 51.4 ટકા રહ્યો નોંધાયો છે.

આ સર્વે IHS માર્કેટ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો , જેને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનાં મૂલ્યાંકન માટે વિશ્વસનીય આકૃતિ માનવામાં આવે છે. સર્વેમાં PMI 50 થી ઉપર રાખવું યોગ્ય માનવામાં આવે છે, પરંતુ જે આંકડો ઓગસ્ટ – સપ્ટેમ્બરમાં છે તે મે 2018 પછીનો સૌથી નીચો છે.

ચિંતાના મુદ્દા શું છે?

સર્વે અનુસાર, સરકાર અને નીતિ નિયમનકારો માટે ચિંતાનો વિષય છે કે સપ્ટેમ્બરમાં કુલ માંગમાં થોડો વધારો થયો છે. તેનું કારણ એ છે કે નિકાસ વધી રહી નથી અને કંપનીઓમાં રોજગારી ભાગ્યે જ વધી છે. ફેક્ટરીઓએ કાચા માલની ખરીદી પર કાપ મૂક્યો છે, જે એ સંકેત છે કે તેઓ વધુ માંગ વધવાની અપેક્ષા રાખતા નથી.

એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા માત્ર 5 ટકાની વૃદ્ધિ પામી છે, જે છેલ્લા 6 વર્ષમાં નીચો દર છે. એકંદરે, ફુગાવો તો આવતા મહિનામાં પણ રિઝર્વ બેંકના મધ્યમ ગાળાના લક્ષ્યાંકમાં રહેશે, જેના કારણે એવી અપેક્ષા છે કે ઓક્ટોબરના રોજ નાણાકીય નીતિ સમીક્ષામાં રિઝર્વ બેંક વધુ વ્યાજ દરમાં ઘટાડો કરશે. આ વર્ષે રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં 1.1 ટકાનો ઘટાડો કર્યો છે.

કંપનીઓમાં આશાવાદ નબળો
એવી અપેક્ષા છે કે ઓક્ટોબરમાં પણ રિઝર્વ બેંક ફરીથી રેપો રેટમાં ઘટાડો કરી શકે છે . જોકે, રિઝર્વ બેંક દ્વારા નાણાકીય નરમાઈના સંકેતો હોવા છતાં અને સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા માટે જાહેર કરાયેલા વિવિધ પગલાં છતાં કંપનીઓમાં આશાવાદ નબળો રહ્યો છે. આવતા 12 મહિના માટે ઉપ-અનુક્રમણિકા માપવા માટેનો અંદાજ બે વર્ષમાં સૌથી નીચો છે.
  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો