Rajkot/ મનપાની આવક સામે ખર્ચ આટલો, 60 કોર્પોરેટરે જનતા માટે કરી કંજુસાઈ

રાજકોટ મહાનગર પાલિકાનો ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ કોરોના એ વિખેરી નાખ્યું હતું. જેના કારણે અનેક મહત્વના ગણાતા પ્રોજેક્ટ આયોજન પ્રમાણે કાર્ય થઈ શક્યા નથી. અને કેટલા

Top Stories Rajkot
rmc

રાજકોટ મહાનગર પાલિકાનો ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ કોરોના એ વિખેરી નાખ્યું હતું. જેના કારણે અનેક મહત્વના ગણાતા પ્રોજેક્ટ આયોજન પ્રમાણે કાર્ય થઈ શક્યા નથી. અને કેટલા બધા પ્રોજેક્ટ માત્ર ફાઈલ બનીને રહી ગયા છે. રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે 2132 કરોડ રૂપિયાના અંદાજપત્ર માંથી માત્ર 1000 કરોડ આસપાસના વિકાસ કામ થયા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલે તમામ સિટી ઇજનેર સહિતના અધિકારીઓની બેઠક બોલાવી વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.જે અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાને 510 કરોડની આવક સામે 580 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 72માં થી 60 કોર્પોરેટરે પોતાના વિસ્તાર પાછળ જેટલો ખર્ચ કરવો જોઈએ તેટલો કર્યો નથી અને જનતાને અન્યાય થયો છે.

 

break / કોરોના બાદ કમુરતા, લગ્ન ગાળા સંબંધિત વેપારીઓની કમાણી પરફરી બ…

જે અંતર્ગત વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના કોર્પોરેટર પરેશ હરસોડા 15 લાખમાંથી માત્ર 3.82 લાખ વાપર્યા છે, તેમજ મેયર અને ડેપ્યુટી મેયરે પણ કંજૂસાઇ કરી હોવાનું સામે આવ્યું છે. દર ભક્તિ યોજાતી ચૂંટણીમાં લોકોને વિકાસ કામોના વચન આપનારા ભાજપના તેમજ કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાને મળતી 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મનો સંપૂર્ણ ઉપયોગ કર્યો નથી.એ તો ઠીક પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં તમામ કોર્પોરેટરને દસ લાખ રૂપિયાના બદલે વધારાના પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવાનો પ્રારંભ કર્યો હતો. જેમાંથી 72 માંથી માત્ર બહાર નગર સેવકો દ્વારા જ ૧૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના સાઈડ કોર્પોરેટર દ્વારા ૧૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ માંથી 25થી 11.80 લાખ રૂપિયા વપરાઈ પડ્યા રહ્યા છે.

Rajkot Municipal Corporation, Function of RMC, Departments of RMC

Air India news / સિનિયર સિટીઝનો પર સરકાર મહેરબાન, એર ઇન્ડિયાની મુસાફરી 50%

શહેરમાં કોઇપણ વિસ્તાર માટે વિકાસ કામ કરવા માટે મેયરને ૬ લાખની ગ્રાન્ટ મળતી હોય છે તેમાંથી 4,83,923 રૂપિયાની જ ફાળવણી કરી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ૪.૫૦ લાખ માંથી સાડા ત્રણ લાખ જેટલો ખર્ચ કર્યો છે જ્યારે પક્ષના વિવિધ નેતાઓએ પણ અંદાજે દોઢ લાખ જેટલો ખર્ચ કર્યો છે. નગરસેવકોમાં 15 લાખ રૂપિયા વાપરવામાં ઉર્વશીબેન પટેલ, પારૂલ ડેર, અશ્વિનભાઈ ભોરણીયા, કમલેશ મીરાણી પુષ્કરભાઈ પટેલ, રૂપાબેન શીલુ, વિજયાબેન વાછાણી અંજનાબેન મોરજરીયા, દુર્ગા બા જાડેજા, નિર્મળ મારું, દલસુખ જાગાણી અને સમજુબેન કડોદરાનો સમાવેશ થાય છે.જ્યારે ૧૫ લાખ રૂપિયા માંથી જાગૃતીબેન ડાંગરના રૂપિયા 25 વર્ષાબેન રાણા રૂપિયા 45 ગીતાબેન ના રૂપિયા મેનાબેન જાદુના રૂપિયા 50 જેટલી સામાન્ય રકમ પડી રહી છે.

train / આઠ મહિના બાદ પાટા પર દોડવા દેશની ટ્રેનો તૈયાર, રેલ્વેની કવાય…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો