Not Set/ આરબીઆઇના નવા ગવર્નર પર સ્વામીનો આરોપ : ચિદમ્બરમ સાથે ખુબ ભ્રષ્ટાચાર કર્યો છે !

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર પર સાસનીખેજ આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું કે, શશીકાંત દાસ ભ્રષ્ટાચારમાં લિપ્ત રહ્યા છે. મંગળવારે રાતે એમણે જણાવ્યું કે, દાસને આરબીઆઇ ગવર્નર રૂપે નિયુક્ત કરવા ખોટો ફેંસલો છે. કારણ કે તેઓ પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમ સાથે ભ્ર્ષ્ટાચાર સંબંધી ગતિવિધિમાં લિપ્ત રહ્યા છે. […]

Top Stories India

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર પર સાસનીખેજ આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું કે, શશીકાંત દાસ ભ્રષ્ટાચારમાં લિપ્ત રહ્યા છે. મંગળવારે રાતે એમણે જણાવ્યું કે, દાસને આરબીઆઇ ગવર્નર રૂપે નિયુક્ત કરવા ખોટો ફેંસલો છે. કારણ કે તેઓ પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમ સાથે ભ્ર્ષ્ટાચાર સંબંધી ગતિવિધિમાં લિપ્ત રહ્યા છે.

mantavyanews.com

આટલું જ નહિ તેઓ ચિદમ્બરમને અદાલતી મામલાઓમાં બચાવવાની કોશિશ પણ કરી ચૂકયા છે. તેમણે જણાવ્યું કે, મેં આરબીઆઈ ગવર્નર નિયુક્તિ પર વિરોધ દર્શાવવા પ્રધાનમંત્રી મોદીને ચિઠ્ઠી લખી છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચે કેટલાક દિવસોથી ચાલી રહેલી ખેંચ-તાણ વચ્ચે સોમવારે ઊર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દીધું હતું. બીજા દિવસે સરકારે પૂર્વ અમલદાર શશીકાંત દાસને આરબીઆઇના નવા ગવર્નર નિયુક્ત કર્યા, જે 15માં નાણાં આયોગના સદસ્ય પણ છે.