Political/ અંતે TMC પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ બીજેપીમાં મોટા માથાં શામેલ થઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા ના સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાશે તે અંગે ઘણા લાંબા સમયથી થઇ રહેલી અટકળો પર પૂર્ણવિરામ

India
trivewdi 2 અંતે TMC પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ બીજેપીમાં મોટા માથાં શામેલ થઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા ના સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાશે તે અંગે ઘણા લાંબા સમયથી થઇ રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાયો છે.આ જ ક્રમમાં હવે તૃણમૂલ કૉંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં બીજેપીમાં શામેલ થયા છે.આ પહેલા તૃણમૂલ કૉંગ્રેસથી નારાજ અનેક મોટા ચહેરા બીજેપીમાં શામેલ થઈ ચૂક્યા છે. તમામ લોકોએ બીજેપીમાં શામેલ થઈને બંગાળમાં બીજેપીને મજબૂત કરવાનું કામ કર્યું છે. એવા પણ સમાચાર છે કે બીજેપી હવે પશ્ચિમ બંગાળમાં અનેક મોટા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન તેમજ બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીથી લઈને મિથુન ચક્રવર્તી સુધી દિગ્ગજ લોકો બીજેપીમાં શામેલ થશે તેવી વાત ચાલી રહી છે.

West Bengal Elections 2021: TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

Assembly / વિધાનસભામાં આગવી શૈલીમાં મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું સંબોધન ,પંચાયતની ચૂંટણીમાં ત્રણ નેતાગીરી મહત્વની, VR-CR-NR

આ ઉપરાંત પ્રસિદ્ધ બંગાળી એક્ટર યશ દાસગુપ્તા બીજેપીમાં શામેલ થયા છે. તેમની સાથે લગભગ અડધો ડઝન કલાકારો બીજેપીમાં શામેલ થયા છે. જેમાં વેટરન એક્ટર પાપિયા અધિકારી પણ શામેલ છે. દાસગુપ્તા બીજેપીમાં જોડાયા તેના એક દિવસ પહેલા જ મિથુન ચક્રવર્તી સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. જે બાદમાં મિથુન ચક્રવર્તી બીજેપીમાં શામેલ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Trivedi અંતે TMC પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

Political / ભાજપના કારણે લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઘટયો , મતદાનની ટકાવારી ઘટી છે : ભરતસિંહ સોલંકી

અહીં એ બાબત ઉલ્લેખનીય છે કે દિનેશ ત્રિવેદીએ ગત મહિને તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દિનેશ ત્રિવેદીના રાજીનામા પર ટીએમસી સાંસદ સુખેન્દુ એસ. રોયે કહ્યું હતુ કે, તૃણમૂલનો અર્થ છે જમીન સાથે જોડાયેલું. તેનાથી અમને રાજ્યસભામાં ટૂંક સમયમાં જમીની સ્તરના કાર્યકર્તાને મોકલવાની તક મળશે.દિનેશ ત્રિવેદીને જ્યારે બજેટ પર ચર્ચા દરમિયાન બોલવા માટે કહેવામાં આવ્યું તો તેઓએ કહ્યું હતુ કે, હું ગૂંગળામણઅનુભવી રહ્યો છું. સાંસદે કહ્યું કે આજે રાજ્યસભાથી રાજીનામું આપી રહ્યો છું. મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે. પણ અમે અહીં કંઈ પણ બોલી નથી શકતા.

RMC / રાજકોટ મનપા દ્વારા મહિલાઓને અનોખી ભેટ,8 માર્ચે RMTS અને BRTS બસની મુસાફરી free

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…