મિઝોરમના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પીએમ મોદી મણિપુરને લઈને ચિંતિત નથી કારણ કે તેમને ઈઝરાયલમાં રસ છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી મિઝોરમના આઈઝોલની મુલાકાતે છે.
GSTને લઈને કેન્દ્રનો ઘેરાવ
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આઈઝોલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે GST નાના અને મધ્યમ ઉદ્યોગોને હેરાન કરવા અને ભારતના ખેડૂતોને નબળા પાડવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તમે બધા જાણો છો કે નોટબંધીનું શું થયું? તેમના પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાન દ્વારા વિચારવામાં આવેલ આ એક હાસ્યાસ્પદ વિચાર છે.
અર્થતંત્ર હજુ સુધર્યું નથી. જો તમે ભારતની અર્થવ્યવસ્થાને વિકસાવવા માટે વડાપ્રધાનની વ્યૂહરચના સમજવા માગતા હો, તો તેનો સારાંશ એક શબ્દ ‘અદાણી’ માં કહી શકાય.
મિઝોરમ સાથેનું પોતાનું કનેક્શન જણાવ્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે, થોડા મહિના પહેલા હું મણિપુર ગયો હતો. મણિપુરનો વિચાર ભાજપે નષ્ટ કરી દીધો છે. તે હવે એક રાજ્ય નથી, પરંતુ બે રાજ્યો છે. લોકોની હત્યા કરવામાં આવી છે. મહિલાઓની છેડતી કરવામાં આવી છે અને બાળકોની હત્યા કરવામાં આવી છે, પરંતુ પીએમ મોદીને ત્યાં મુસાફરી કરવી જરૂરી ન લાગી.
આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી પોતાના 28 ગામ ખાલી કરાવ્યા
આ પણ વાંચો: Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન મળ્યું, મુંબઈમાં વોટિંગ બાદ સત્તાવાર જાહેરાત
આ પણ વાંચો: America/ બાળકને ચાકુના 26 ઘા માર્યા, “હત્યાનું કારણ ઈઝરાયલ-હમાસ યુદ્ધ”