રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર/ કેન્દ્ર સરકારે કોને બનાવ્યા ડેપ્યુટી NSA જાણો વિગત,હવે અજિત ડોભાલ સાથે કરશે કામ….

બેઇજિંગમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિક્રમ મિસરીને આજે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

Top Stories India

ચીનના મુદ્દાના નિષ્ણાત અને બેઇજિંગમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત વિક્રમ મિસરીને આજે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મિસરી 1989 બેચના IFS અધિકારી પંકજ સરનમની જગ્યાએ આવશે. પંકજ સરન 31 ડિસેમ્બર 2021ના રોજ ઓફિસ છોડી દેશે. આ પહેલા સરન રશિયામાં ભારતના રાજદૂત હતા. પ્રદીપ કુમાર રાવતને ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરાયા બાદ વિક્રમ મિસરીને NSCSમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિક્રમ મિસરી  કે જેઓ ભૂતકાળમાં વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે અને તેઓ ઈન્ડો પેસિફિકના વ્યૂહાત્મક વાતાવરણથી સારી રીતે પરિચિત છે. ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત થયા બાદ હવે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રિપોર્ટ કરશે. આ ઉપરાંત, અન્ય બે ડેપ્યુટી NSA છે, એક રાજેન્દ્ર ખન્ના અને બીજા દત્તા પંડાસલગીર છે.ડિસેમ્બરની શરૂઆતમાં, વિક્રમ મિસરીએ ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ઓનલાઈન વિદાય મુલાકાતમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. મિસરીએ કહ્યું કે કેટલાક પડકારોએ દ્વિપક્ષીય સંબંધોમાં વિશાળ તકો પર નકારાત્મક અસર કરી છે.

જો કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે સતત વાતચીત દ્વારા બંને પક્ષો આ મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકશે.ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. મડાગાંઠને સમાપ્ત કરવા માટે સૈન્ય વાટાઘાટોના ઘણા રાઉન્ડ પણ થયા છે.