mumbai news/ દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ટ્રાન્સજેન્ડરને ફાંસીની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

ચુકાદો આપતી વખતે જજ અદિતિ કદમે કહ્યું, ‘આજીવન કારાવાસ એ નિયમ છે અને ફાંસીની સજા અપવાદ છે. રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં આ સજા આપવામાં આવે છે. આ ગુનો એવો છે. આ કેસમાં અમાનવીયતા અને બર્બરતા દર્શાવવામાં આવી હતી.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 02 28T152210.522 દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ટ્રાન્સજેન્ડરને ફાંસીની સજા, જાણો શું છે સમગ્ર ઘટના

ટ્રાન્સજેન્ડર શખ્સને કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે. દેશમાં આ પહેલો કેસ છે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડરને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હોય. મુંબઈ સેશન્સ કોર્ટના જજ અદિતિ કદમે આ નિર્ણય આપ્યો છે. ચુકાદો આપતી વખતે જજ અદિતિ કદમે કહ્યું, ‘આજીવન કારાવાસ એ નિયમ છે અને મૃત્યુદંડ અપવાદ છે. રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં આ સજા આપવામાં આવે છે. આ ગુનો એવો છે. આ કેસમાં જે રીતે અમાનવીયતા અને બર્બરતા દર્શાવવામાં આવી છે તે એક દુર્લભ કેસ છે.

24 વર્ષીય ટ્રાન્સજેન્ડર વિરુદ્ધ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઈના કેફે પરેડ વિસ્તારમાં આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટે ટ્રાન્સજેન્ડર શખ્સને સજા સંભળાવી ત્યારે તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી અને તે ચુપચાપ ઊભો રહ્યો. ઘટનાનો ભોગ બનેલી બાળકીના માતા-પિતા અને અન્ય પરિવારના સભ્યો ચુકાદા બાદ કોર્ટમાં પહોંચ્યા હતા. બાળકીના પિતાએ કહ્યું કે આ કેસમાં કોર્ટમાં કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. અમે આ નિર્ણયથી સંતુષ્ટ છીએ.

તપાસ મુજબ, છોકરીના જન્મ પછી, ટ્રાન્સજેન્ડર સામાન્ય રિવાજની જેમ, ભેટની માગ કરવા માટે પરિવારનો સંપર્ક કર્યો હતો. જો કે પરિવારે તેને કોઈ શુકન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પ્રસંગે તેની પરિવાર સાથે ઝઘડો પણ થયો હતો. જેના કારણે તે પરિવાર સાથે નારાજ થવા લાગ્યો હતો. એક દિવસ જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે તે ચોરીછૂપીથી ઘરમાં ઘુસી ગયો હતો. તેણે બાળકીને ઉપાડીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરી નજીકની કેનાલમાં ફેંકી દીધી હતી. પોક્સો કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે આ કોલ્ડ બ્લડેડ મર્ડર હતું.

તેમણે કહ્યું કે આ એક અપરાધ છે જે કોઈપણ બાળકીના માતા-પિતાને આઘાત પહોંચાડે છે. આરોપીના મનમાં કેટલી હદે ઝેર હતું અને તેની માનસિકતા શું હશે તે પણ સમજની બહાર છે. ન્યાયાધીશે કહ્યું કે આ કેસ મૃત્યુદંડ માટે યોગ્ય છે. ચુકાદામાં, ન્યાયાધીશે કહ્યું કે દોષિતે આવો જઘન્ય અપરાધ કરવાની યોજના પહેલેથી જ બનાવી લીધી હતી. પછી તેને ભયાનક રીતે અંજામ આપ્યો. આ મામલે યુવતીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કેસમાં કોર્ટે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા