Mumbai News/ મુંબઈમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે ગુંગળાઈ જવાથી પાંચ સફાઈ કામદારોના મોત

મુંબઈ પોલીસના અધિકારીઓએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે

Top Stories Mumbai News India Breaking News
Beginners guide to 2025 03 09T181952.849 મુંબઈમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે ગુંગળાઈ જવાથી પાંચ સફાઈ કામદારોના મોત

Mumbai News : મુંબઈ સ્થિત નાગપાડા વિસ્તારમાં મોટી હોનારત સર્જાઈ હતી. જેમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે પાંચ મજુરોના મોત નીપજ્યા હતા. આ સફાઈ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટના આજે બપોરે ૧.૩૦ વાગ્યે બની હતી. તાત્કાલિક પાંચેય સફાઈ કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માત નાગપાડાના દિમટીમકર રોડ પર સ્થિત બિસ્મિલ્લાહ સ્પેસ બિલ્ડિંગ નામની બાંધકામ હેઠળની મિલકતમાં થયો હતો. આ સ્થળ મિન્ટ રોડ પર ગુડ લક મોટર ટ્રેનિંગ સ્કૂલ પાસે આવેલું છે. આ ઘટના બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આ સફાઈ કામદારોને બહાર કાઢીને નજીકની સર જેજે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.જોકે  ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મુંબઈ પોલીસના અધિકારીઓએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધર્માંતરણ માટે ફાંસીની સજા! લવ-જેહાદના કેસમાં 10 વર્ષની સખ્ત સજા, આ રાજ્ય કરી રહ્યું છે તૈયારી

આ પણ વાંચો:રાજસ્થાન વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ, લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર થશે સજા, જાણો શું છે જોગવાઈઓ

આ પણ વાંચો:કાશ્મીરમાં પહેલા બધા હિન્દુ હતા, ધર્માંતરણ કરીને મુસ્લિમ બન્યા’, ગુલામ નબી આઝાદ