જમ્મુ કશ્મીરના ભુતપૂર્વ CM ફારુક અબ્દુલ્લાની કસ્ટડી અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાની નોટિસ આપીને જવાબ આપવા કહ્યું છે.જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાને પીએસએ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે.જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાની કસ્ટડી અંગે મોટો સમાચાર સામે આવ્યો છે.
તેમની કસ્ટડી અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં જ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયાની નોટિસ આપીને જવાબ આપવા કહ્યું છે. તે જ સમયે, અહેવાલ છે કે રવિવારે રાત્રે, ફારૂક અબ્દુલ્લાને જાહેર સલામતી કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ફારૂક અબ્દુલ્લાની કથિત ‘કસ્ટડી’ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી એક અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.
રાજ્યસભાના સાંસદ વૈકોની અરજી પર સીજેઆઈ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠે અરજીની સુનાવણી કરી હતી. અરજીની સુનાવણી કરતાં સીજેઆઈ રંજન ગોગોઇએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે ‘શું તેઓ કસ્ટડીમાં છે?’ આ અંગે સોલિસિટર જનરલે કહ્યું કે અમે સરકાર તરફથી સૂચના લઈશું. વૈકોના વકીલે કોર્ટને કહ્યું હતું કે ફારૂક અબ્દુલ્લા બહાર નીકળી શકતા નથી, કાશ્મીરમાં અધિકારોનો ભંગ થઈ રહ્યો છે.
કોર્ટે વકીલને અવાજ ન વધારવા કહ્યું. ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવાની વૈકોની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો અને કહ્યું કે નોટિસની જરૂર નથી. આ મામલે આગામી સુનાવણી 30 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
