Big Statement/ PM મોદીની દુનિયામાં વાહ વાહ,આ નિવેદનથી લઇને ફ્રાંસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ

ફ્રાંસ પછી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે પીએમ મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિને જે કહ્યું તે સંપૂર્ણ રીતે યોગ્ય હતું. 

Top Stories World
4 40 PM મોદીની દુનિયામાં વાહ વાહ,આ નિવેદનથી લઇને ફ્રાંસના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીના કર્યા વખાણ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે, તેમના વ્યક્તિત્વ અને છબીના લીધે સમગ્ર વિશ્વમાં આજે તેમની નોંધ લેવામાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતમાં કેટલી લોકપ્રિયતા છે તે કોઈનાથી છૂપાયેલી નથી. ધીમે-ધીમે દુનિયા પણ તેને માનવા લાગી છે. ભારતના પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આખી દુનિયામાં ચર્ચામાં છે. કેમ કે તેમણે SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. મેં તમારી સાથે ફોન પર આ અંગે વાત કરી હતી. આજે આપણે આ વિશે વાત કરવી પડશે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપિત કરી શકીએ. પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ. ભારત અને રશિયા અનેક દાયકા સુધી એકબીજાની સાથે રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના આ નિવેદનના આખી દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને UNGAમાં કહ્યું કે પીએમ મોદીએ સમરકંદમાં સાચું કહ્યું હતું કે આ સમય યુદ્ધનો નથી. પશ્વિમથી બદલો લેવાનો કે પૂર્વ સામે પશ્વિમનો વિરોધ કરવાનો નથી. આ આપણા જેવા સોવરેઈન રાષ્ટ્ર સામે આવનારા પડકારોનો સામનો કરવાનો સમય છે.

ફ્રાંસ પછી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે પીએમ મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિને જે કહ્યું તે સંપૂર્ણ રીતે યોગ્ય હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફરી એકવાર દુનિયાભરમાં પીએમ મોદીના વખાણ કર્યાં છે. ન્યૂયોર્કના શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77 માં સત્રમાં મેક્રોને પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાતને લઈને વખાણ કર્યાં છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિને મુલાકાત દરમિયાન કહ્યુ હતું કે, આ સમય યુદ્ધનો નથી.

આ નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના વખાણ કર્યાં અને કહ્યું કે, તેઓ પોતાની જગ્યાએ સાચા હતા. અમેરિકાના NSA જૈક સીલવને પણ પીએમ મોદીના વખાણ કર્યાં. સુલીવને કહ્યું કે, પીએમ મોદીનું આ નિવેદન કે આ યુદ્ધનો આ સમય યોગ્ય નથી, તે પોતાનામાં એક ઐતિહાસિક નિવેદન હતું. નિવેદનમાં મેક્રોને કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી સાચા હતા, જ્યારે તેમણે કહ્યું કે સમય યુદ્ધ માટે યોગ્ય નથી, ન કે પશ્ચિમથી બદલો લેવાનો કે ન તો પૂર્વની વિરુદ્ધ પશ્ચિમનો વિરોધ કરવાનો. હાલ આપણા માટે આવી રહેલા ચેલેન્જિસનો સામનો કરવાનો સમય છે.