Not Set/ ગોધરા : ચારેતરફ ભરેયલા વરસાદી પાણી અને ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની સેવાતી ભીતિ

ગોધરા શહેરમાં આવેલી શાન્તાકુંજ અને સરયૂ વીલા સોસાયટીઓમાં વરસાદના પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ભારે ગંદકી જોવા મળી રહી છે તેમજ રોડ ઉપર વરસાદી પાણી ભરાય રહેવાથી રોડ ઉપર લીલ બાજી જતા સોસાયટીના રહીશોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે ગંદકીને લઈને મચ્છરોના ત્રાસથી આ સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળતા એક મહિલા ડેન્ગ્યુ જેવા  જીવલેણ રોગનો […]

Top Stories Gujarat Others
ગોધરા ગોધરા : ચારેતરફ ભરેયલા વરસાદી પાણી અને ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની સેવાતી ભીતિ

ગોધરા શહેરમાં આવેલી શાન્તાકુંજ અને સરયૂ વીલા સોસાયટીઓમાં વરસાદના પાણીનો કોઈ નિકાલ ન હોવાથી ભારે ગંદકી જોવા મળી રહી છે તેમજ રોડ ઉપર વરસાદી પાણી ભરાય રહેવાથી રોડ ઉપર લીલ બાજી જતા સોસાયટીના રહીશોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે ગંદકીને લઈને મચ્છરોના ત્રાસથી આ સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળતા એક મહિલા ડેન્ગ્યુ જેવા  જીવલેણ રોગનો પણ ભોગ બની હોવા છતાં પણ તંત્ર હજુ  કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર આવેલી સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટર લાઈનનું કામ વ્યવસ્થિત કરવામાં ન આવ્યુ હોવાથી વરસાદનું પાણી સોસાયટીઓના રોડ ઉપર ભરાઈ રહેવાને કારણે સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહયુ છે. આ ગંદકીને કારણે સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળતા એક મહિલાને ડેન્ગ્યુ પોઝિટીવ જેવો જીવલેણ રોગની અસર થઈ જવાને લીધે સોસાયટીના રહીશોમાં  ભયની ભીતિ પ્રસરી જવા પામી છે. ત્યારે રાજય સરકાર દ્વારા ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ ગટર લાઈન નાખવા માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ગટર લાઈનનું કામ કોન્ટ્રાકટરો દ્વારા વ્યવસ્થિત રીતે ન કરવામાં આવતા ગોધરા શહેરની સોસાયટીઓમાં વરસાદના પાણીનો નિકાલ ન થવાને કારણે પાણી સોસાયટીઓના રોડ ઉપર ભરાઈ રહે છે.

ગોધરા 2 ગોધરા : ચારેતરફ ભરેયલા વરસાદી પાણી અને ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની સેવાતી ભીતિ

આ ભરાઈ રહેલા પાણીને કારણે રોડ ઉપર લીલ બાજી ગઈ હોવાથી સોસાયટીઓના રહીશોને આ રોડ ઉપરથી અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે.  તેમજ મોટર સાયકલ કે ચાલતા જતા રહીશોને રોડ ઉપર લીલ હોવાને કારણે   સ્લીપ ખાઇ પડી જવાથી કેટલીક વાર અકસ્માતનો પણ ભોગ બનવું પડતું હોય છે. ત્યારે સોસાયટી ઓના રહીશોએ આ અંગે નગરપાલિકા અને વહીવટી તંત્રને લેખિત અને મૌખિત રજુઆતો કરવા છતાં પણ આજ સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી અને સોસાયટીઓમાં વરસાદી પાણીથી થયેલ ગંદકીને લીધે જે રોગચાળો ફાટી નિકળેલ છે.

આ રોગચાળાથી વધુ લોકો ઝપેટમાં ના આવે તેવી ભયની ભીતિ સોસાયટીના રહીશોમાં સેવાઈ રહી છે. આવી ગંદકી ને કારણે ગોધરા શહેરમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની નગર પાલિકા તંત્ર રાહ જોઈ રહયું હોય તેવી લોકચર્ચાઓ સોસાયટીના રહીશોમાં જોવા મળી રહી છે. તેમજ સોસાયટીના રહીશો દ્વારા નગર પાલિકા અને તંત્રની સામે હાય હાયના નારાઓ પોકારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સોસાયટીના રહીશોની સમસ્યાનું નિરાકરણ નગર પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવશે કે નહીં એ તો હવે આવનાર સમય જ બતાવશે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.