Good news for Indian: કેનેડા સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. કેનેડાએ 2023 થી ઓપન વર્ક પરમિટ ધારકોને તેમના પરિવારોને તેમની સાથે લાવવાની મંજૂરી આપવાની યોજના જાહેર કરી છે. ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કોઈપણ કંપની અને કોઈપણ નોકરી માટે કેનેડામાં કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી આપે છે. ઓપન વર્ક પરમિટ ધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો ભારતીયોને મળવાનો છે.
કેનેડિયન ઇમિગ્રેશને જણાવ્યું કે, આજે અમે એક જાહેરાત કરી રહ્યા છીએ જે કંપનીઓ માટે કામદારોને શોધવાનું અને પરિવારો સાથે રહેવાનું સરળ બનાવશે, જ્યાં સુધી કામદારો અહીં છે ત્યાં સુધી તેઓ પરિવાર સાથે રહી શકશે. આજે હું જાહેરાત કરી રહ્યો છું કે ઓપન વર્ક પરમિટ અરજદારોના જીવનસાથીઓ અને બાળકો માટે લંબાવવામાં આવી રહી છે જેઓ વિવિધ અસ્થાયી કાર્યક્રમો દ્વારા આવ્યા છે. મંત્રીએ કહ્યું કે આ પગલાથી 200,000 થી વધુ કામદારો કે જેમના પરિવારના સભ્યો કેનેડામાં છે, અથવા જેઓ દેશમાં સ્થળાંતર કરવા જઈ રહ્યા છે, તેઓ તેમના પ્રિયજનો સાથે રહેવા અને કામ કરવાનું ચાલુ રાખશે. અહીં આવ્યા બાદ તેઓ કામ કરી શકશે. ફ્રેઝરના જણાવ્યા અનુસાર, આ નીતિ પરિવર્તનને ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે જેથી લોકો તેમના પરિવાર સાથે આવી શકે.
મિનિસ્ટર ફ્રેઝરના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ મોબિલિટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામ દ્વારા ઉચ્ચ વેતન પ્રવાહ દ્વારા આવે છે. નવા વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. બીજા તબક્કામાં ઓછા વેતનના પ્રવાહમાંથી આવતા લોકો માટે સમાન નિયમોની ઍક્સેસને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપનો
