- અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ
- સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજ વેચી દેવાયું
- 2500 કિલો અનાજના જથ્થા સાથે 3 લોકો પકડાયા
- અમરાઇવાડી સસ્તા અનાજ દુકાનનો સંચાલક ઝડપાયો
- નરોડા જીઆઇડીસી સ્વામિનારાયણ ટ્રેડિંગ વેચ્યું હતું
- દુકાન સંચાલક, ટેમ્પા ચાલક સહિત 3ની ધરપકડ
અમદાવાદમાં સરકારી અનાજ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. ગોડાઉનમાંથી બારોબાર અનાજનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. 2500 કિલો અનાજના જથ્થા સાથે 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સંદીપ જૈન, ટેમ્પાચાલક સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. અમરાઈવાડીના સંદીપ જૈને અનાજ વેચ્યું હતું. નરોડા GIDCની સ્વામિનારાયણ ટ્રેડિંગને વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે. ઝોન – 5 DCP સ્ક્વોર્ડે કાર્યવાહી કરી છે.