બેંકની લોન જાણી જોઈને ના ચુકવતી કંપનીનાં પ્રમોટરોએ પોત-પોતાની કંપની ખોવાના ડરથી ૮૩,૦૦૦ રૂપિયાની બાકી રકમ ચૂકવી દીધી છે. આ પહેલની સંશોધિત દિવાલિયા કાનુન એન્સોલ્વંસી એન્ડ બેંકરપ્ટ્સી કોડ (આઈબીસી) અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. કંપની મામલા મંત્રાલય દ્વારા મળેલા આંકાડાઓ અનુસાર ૨,૧૦૦ થી વધારે કંપનીઓએ બેંક લોન પરત કરી દીધી છે.
આઈબીસી સરકારે આઈબીસીમાં સંશોધન કરીને તે કંપનીઓના પ્રમોટને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) તરફથી કાર્યવાહી શરુ થવા બાદ હરાજી થઇ રહી કોઈ કંપનીઓ માટે બોલી લગાવવા પર રોક લગાવી દીધી હતી. જેને આપવામાં આવેલી લોનને બોન્કો દ્વારા એનપીએ જાહેર કરી દેવામાં આવે છે.
આઈબીસીમાં સંશોધનનો ઉદ્યોગ જગતએ ઘોર વિરોધ કર્યો છે કારણ કે એસ્સાર ગ્રુપના રુઈયા, ભૂષણ ગ્રુપના સિંધલ અને જયપ્રકાશ ગ્રુપના ગૌડ જેના નામી-ગિરામી ઉદ્યોગ ગૃહોને રીજોલ્યુશ પ્રોસેસમાં ભાગ લેવાથી રોકી દેવામાં આવ્યા હતા. એક આશંકા એ પણ વ્યક્ત કરવામાં આવે છે કે મોટા પ્રમાણમાં કંપનીઓ યોગ્ય ઘોષિત કરી દેવાનાં કારણે હરાજી નહિ થઇ શકે, જેથી બેન્કોને પોતાની લોનનો નાનો ભાગ જ પરત મળી શકે એમ છે.