- નિર્મલા સીતારામણે ઉદ્યોગપતિઓ સાથે વાત કરી
- પૂણેના ઉધ્યોગપતિઓએ જીએસટી પર ચિંતા વ્યક્ત કરી નાણાં પ્રધાનને સવાલ કર્યા
શુક્રવારે પુણેમાં ઉદ્યોગપતિઓ, ઉદ્યમીઓ, સીએ અને અન્ય લોકો સાથેની વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં નાણાંમંત્રી નિર્મળા સિતારમને જણાવ્યુ હતું કે, હું દિલગીર છે કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) તમારા સંતોષને પૂરો ન કરી શક્યો.
તેમણે કહ્યું કે આ દેશમાં લાંબા સમય સુધી સંસદ અને તમામ રાજ્યોમાં ઘણી પાર્ટીઓએ સાથે મળીને કામ કર્યું હતું અને આ એક્ટ લાવ્યા હતા. કેટલાક અનુભવના આધારે, આપણે કહી શકતા નથી કે તે કેવું માળખું છે. પરંતુ, હાજર લોકોમાંથી એકે જીએસટી અંગે ચિંતા વ્યક્ત કરી નાણાં પ્રધાનને સવાલ કર્યા હતા.
કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે પ્રથમ દિવસથી જ હું ઈચ્છું છું કે જીએસટી તમારા સંતોષને પૂર્ણ કરે, પરંતુ મને દુખ છે કે જીએસટી તમારા સંતોષને પૂરા કરી શક્યું નથી. તે સંસદમાં અને તમામ રાજયોની વિધાનસભામાં થી પસાર થયેલ છે. તેમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે.જે તમને કેટલીક મુશ્કેલીઓ આપી શકે છે. પરંતુ તે હવે આ દેશનો ‘કાયદો’ છે … હું તમને અપીલ કરું છું કે તમે સાથે મળીને કામ કરો જેથી આપણી પાસે વધુ સારી રચના હશે.
પ્રેક્ષકોમાંથી એક વ્યક્તિએ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા કહ્યું કે દરેક માને છે કે જીએસટી ગુડ્સ અને સિમ્પલ ટેક્સ હોવો જોઈએ. આપણે ધંધો કરવાનો હેતુ જાણીએ છીએ. તમે કાયદાની જટિલતાને ઘટાડવા માંગતા હતા. તેમણે કહ્યું કે તમને પણ સરળ વહીવટ જોઈએ છે અને સરકાર મહેસૂલ વધારવા ઇચ્છુક છે.
#WATCH Finance Min during interaction with businessmen,entrepreneurs,CAs&others in Pune:We just can't damn GST now. It has been passed in Parliament&in state assemblies. It might have flaws,it might probably give you difficulties but I'm sorry,it's the 'kanoon' of the country now pic.twitter.com/tAPcQmHh5H
— ANI (@ANI) October 11, 2019
તેમણે વધુમાં કહ્યું કે જો કાયદાની રચનામાં ફેરફાર કર્યા વિના જો આપણી ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવશે તો તેનાથી ભારણ ઓછું થશે અને દરેકને તેમાં આનંદ આવશે. પછી તેને ગુડ્ઝ અને સિમ્પલ ટેક્સ કહેવાશે. તેમણે કહ્યું કે આજ સુધી ઉદ્યોગ, સલાહકારો અને ઓડિટર્સ સહિતના દરેક સરકારને જીએસટી માટે વિરોધ જ કરતાં રહ્યા છે.
નાણામંત્રીએ પ્રશ્નમાં વ્યક્તિને દિલ્હીમાં મળવા અને આ મુદ્દે ચર્ચા કરવા માટેનો સમય પણ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ, 2017 ના રોજ, સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
