Not Set/ સુરત : અસ્થાનાએ ભાજપમાં ફંડ આપ્યું હોવાનો વિવાદ, કમિશનરે આરોપોને ગણાવ્યા પાયા વિહોણા

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દિવસેને દિવસે વિવાદના વમળમાં વધારેને વધારે ઘેરાતા જઈ રહ્યા છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અને સુરતના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ભારે વિવાદનો સામનો કરી રહ્યા છે. સુરતમાં પોલીસકમિશનર તરીકેના કાર્યકાળ દરમ્યાન રાકેશ અસ્થાનાએ રૂ. 20 કરોડ પોલીસ વેલ્ફેર ફંડ માંથી ભાજપ ને આપ્યા હોવાની વાતને લઈને વિવાદ જાગ્યો છે. જોકે એક નિવૃત પીએસઆઇએ આ […]

Top Stories Gujarat Surat

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દિવસેને દિવસે વિવાદના વમળમાં વધારેને વધારે ઘેરાતા જઈ રહ્યા છે.

સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર અને સુરતના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ભારે વિવાદનો સામનો કરી રહ્યા છે. સુરતમાં પોલીસકમિશનર તરીકેના કાર્યકાળ દરમ્યાન રાકેશ અસ્થાનાએ રૂ. 20 કરોડ પોલીસ વેલ્ફેર ફંડ માંથી ભાજપ ને આપ્યા હોવાની વાતને લઈને વિવાદ જાગ્યો છે.

જોકે એક નિવૃત પીએસઆઇએ આ અંગે સીબીઆઈને પત્ર લખ્યો હોવાની માહિતી પણ સૂત્રો પાસે થી જાણવા મળે છે. પોલીસ વેલ્ફેરના પૈસા ભાજપને ફંડ તરીકે આપવા સામે વિરોધ પેદા થયો છે. આવા સમયે સુરત શહેરના પોલીસ કમિશનર સતીશ શર્માએ મીડિયા સામે આવીને સમગ્ર આરોપોને પાયા વિહોણા અને સત્ય થી વેગળા ગણાવ્યા હતા.