આજકાલ લોકો સલ્ફી લેવાનો ટ્રેડ ખુબ જ વધી ગયો છે, લોકો પોતાના જીવને જોખમમાં મુકીને સેલ્ફી લે છે. ત્યારે સેલ્ફી લેવાના ચક્કરમાં એક કે બે નહી પણ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે રાજકોટમાં તળાવમાં 4 લોકો ડૂબ્યા જેમાંથી 3 લોકોના મોત નીપજ્ય છે.
જેમાંથી બે યુવકના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક યુવકનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. આ ચારેયને બચાવવા પડેલા વ્યકિતનું પણ મોત થયું છે. હજુ એક યુવકની શોધખોળ હાથ ધરી છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે.
આપને જણાવી દઈએ કે રાજકોટમાં પરશુરામ મંદિર પાસે આવેલા તળાવ પાસે બે યુવક અને એક યુવતી સેલ્ફી લેવા ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે આ તળાવ પાસે એક મોટું બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે, ‘તળાવનું પાણી ઉંડુ હોય કોઇ પણ વ્યક્તિએ તળાવમાં ઉતરવું નહીં. જે કોઇ પણ વ્યક્તિ તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે.’ તેમ છતાં પણ આ લોકો ત્યાં સેલ્ફી લેવા ગયા હતા.
તળાવમાં લોકોમાંથી યુવતીનો બચાવ થયો છે જ્યારે યુવતી સાથેનો એક યુવાને અને તેમને બચાવવા પડેલા યુવાનનું મોત નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.