Not Set/ ગુજરાતમાં કોરોના કેસની ગતિ હરણફાળ, અમદાવાદ સૌથી વધુ કેસો નોંધાયા..

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,

Top Stories Gujarat
Untitled 96 1 ગુજરાતમાં કોરોના કેસની ગતિ હરણફાળ, અમદાવાદ સૌથી વધુ કેસો નોંધાયા..

સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે. કોરોના  કેસ માં સતત  ઉછાળો જોવા  મળી રહ્યો  છે . સાથે  કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 654કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 311કેસ  વડોદરામાં 38, આણંદમાં 21 કેસ, સુરતમાં 97  , રાજકોટમાં 21 કોરોનાના  કેસ  નોંધાયા છે .જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 63 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  એક પણ દર્દીના મોત થયા નથી.રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,31,242 પર  પહોચ્યો છે  . જયારેરાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,652 ને આસપાસ થઈ  છે

આ  પણ વાંચો:Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

PM નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ડર, મૂંઝવણ અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો સાથે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવામાં અંગે પણ જણાવ્યું હતું .  તેનું લોન્ચિંગ 10 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને પણ બૂસ્ટર ડોઝનો વિકલ્પ આપવામાં આવશે. તેઓ તેને ડોક્ટરની સલાહ પર લઈ શકે છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 654 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 311 કેસ
સુરતમાં 97 કેસ નોંધાયા
વડોદરામાં 38 કેસ રાજકોટમાં 21
આણંદમાં 21 ખેડામાં 13 જામનગરમાં 12
વલસાડમાં 11 અને નવસારીમાં 10
છેલ્લા 24 કલાકમાં 63 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2962
રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નહીં
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,31,242
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,652