ગાંધીનગર
મોટી માલવણ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા મહાપંચાયતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દિનેશ બાંભણિયાએ આ મહાપંચાયાત સામે વિરોધ વ્યક્ત કર્યો.
બાંભણિયાએ હાર્દિકને પત્રો લખ્યો છે અને 4 પશ્ર્નો કરીને વિરોધ નોંધાવ્યો.,પત્ર અંગે બાંભણિયાએ જણાવ્યું હતું કે અમે સોગંધ લીધા હતા કે પાટીદારો પર અત્યાચાર કરનાર ભાજપ સાથે ક્યારેય નહીં બેસીએ, છતાં એવું કયું દબાણ છે કે હાર્દિકે ભાજપના ધારાસભ્યોને સ્ટેજ પર બોલાવવા પડ્યા.
તો જે પાટીદાર યુવકો આંદોલન દરમિયાન શહીદ થયા હતા તેમના પરિવારજનોને અને પાટીદાર સમાજની બીજી સંસ્થાઓને કેમ આમંત્રણ આપવામાં નથી આવ્યું. પોતાની મહાત્વાકાંક્ષા પુરી કરવા હાર્દિકે આ મહાપંચાયતનું આયોજન કર્યાનો બાંભણિયાએ આક્ષેપ કર્યો હતો.
