Gandhinagar News: 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)ના પહેલગામ (Pahalgam)માં થયેલા આતંકવાદી હુમલા (Terrorist Attack) બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક પગલાં લઈ રહી છે. આ અંતર્ગત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) પાકિસ્તાન સંબંધિત તમામ વિઝા રદ કરવાના નિર્દેશો જારી કર્યા છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેમને તેમના રાજ્યોમાંથી પાકિસ્તાની લોકોને પાછા મોકલવા કહ્યું હતું. ગૃહ મંત્રાલયની સૂચના બાદ, ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા આ અંગે કામ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે રાજ્યમાં રહેતા 438 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે તેમને પાકિસ્તાન પાછા મોકલવાની યોજના પણ બનાવી છે. માહિતી અનુસાર, ગુજરાતમાં 438 પાકિસ્તાની નાગરિકો લાંબા ગાળાના વિઝા પર છે. આમાંથી અમદાવાદમાં 77, કચ્છમાં 50, સુરતમાં 44 અને રાજધાની ગાંધીનગરમાં 29 પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત, 7 પાકિસ્તાની નાગરિકો ટૂંકા ગાળાના વિઝા પર ગુજરાતમાં રહી રહ્યા છે. અમદાવાદમાં, ટૂંકા ગાળાના વિઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો છે. બાકીના 2 માંથી એક પાકિસ્તાની ભરૂચમાં અને એક પાકિસ્તાની વડોદરામાં છે.
1ને પાકિસ્તાન મોકલવામાં આવ્યા
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ તમામ પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગે બધાને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ભરૂચમાં ટૂંકા ગાળાના વિઝા પર રહેતી 71 વર્ષીય શાહિદા બીબીને ગુજરાત સરકારે (Gujarat Government) પાકિસ્તાન (Pakistan) પરત મોકલી દીધી છે.
આ પણ વાંચો:સુરત પોલીસે 120થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની કરી અટકાયત
આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ
આ પણ વાંચો:અમદાવાદમાં 400 થી વધુ ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો ઝડપાયા
