Not Set/ વોરંટ રદ્દ કરવા કોર્ટમાં પહોચેલા તોગડિયાએ કહ્યું, “મારી સામે કાવતરું રચાયું”

૧૯૯૬માં થયેલા ધોતિયા કાંડમાં આરોપી પ્રવિણ તોગડિયા સામે રજુ કરાયેલા બિનજામીન વોરંટને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે અન્ય ૬ લોકોને પણ રાહત આપી છે. સાથે સાથે કોર્ટે આ કેસમાં આરોપી તમામની ધરપકડ કરીને ૩૦ જાન્યુઆરીએ કોર્ટમાં રજુ કરાવાના આદેશ આપ્યાં છે. કોર્ટના નિર્ણય બાદ વીએચપીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું […]

Top Stories

૧૯૯૬માં થયેલા ધોતિયા કાંડમાં આરોપી પ્રવિણ તોગડિયા સામે રજુ કરાયેલા બિનજામીન વોરંટને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોર્ટે અન્ય ૬ લોકોને પણ રાહત આપી છે. સાથે સાથે કોર્ટે આ કેસમાં આરોપી તમામની ધરપકડ કરીને ૩૦ જાન્યુઆરીએ કોર્ટમાં રજુ કરાવાના આદેશ આપ્યાં છે.

કોર્ટના નિર્ણય બાદ વીએચપીના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, “મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે અને મારી સામે કાવતરું રચવામાં આવ્યું હતું. તેમજ ઘટના બની ત્યારે હું ઘટના સ્થળેથી પણ હું દૂર હતો.

બીજી તરફ કોર્ટ દ્વારા ભાજપના ધારાસભ્ય બાબુ જમના, ઈલેસ પટેલ અને મુકુલ જોશીના વોરંટ પણ રદ્દ કરાયા હતા.

ઉલ્લેખનિય છે કે, ૧૯૯૬માં અમદાવાદના સરદાર સ્ટેડિયમ બહાર ભાજપના નેતા આત્મારામ પટેલ સહિત અનેક સીનિયર નેતાઓ પર હુમલો કર્યો હતો. જેમાં આત્મારામ પટેલનું ધોતિયું ખેચ્યું હતું. આ ગુનામાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ જેમાં ડો.એ.કે. પટેલ, નિરવ શાહ અને મંગળદાસ પટેલ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીઓ સામે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો.