ઇંગ્લેન્ડનાં માનચેસ્ટરમાં ઑલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી વિશ્વ કપની પ્રથમ સેમિ-ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન ચોક્કસ કરી લીધું છે. મંગળવારનાં વરસાદનાં કારણે મેચ અધુરી મુકવાનો વારો આવ્યો હતો. તો મેચ બુધવારે ફરી તે જ સ્થિતિથી રમવાની શરુ કરવામાં આવી હતી.ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની સામે 240 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા અને ભારત 49.3 ઑવરમાં 221 રન જ બનાવી ઓલ આઉટ થઇ જતા વિશ્વ કપ 2019માં ભારતની સફરનો અંત આવ્યો હતો

ભારતની હારથી કેપ્ટન કોહલી દુ:ખી – દુ:ખી જોવા મળ્યો
કોહલીએ જાડેજાની પ્રશંસા કરી

જાડેજાની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું કે, “મને લાગે છે કે ન્યૂઝીલેન્ડનાં બોલરોએ જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે દરેકે જોવું જોઇએ. જાડેજાએ ઘણી સારી રમત દર્શાવી. તેનું પ્રદર્શન ઘણું જ સકારાત્મક રહ્યું. ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર છે. તેમણે અમારા પર દબાવ બનાવ્યો. મને લાગે છે કે અમારું શોટ સિલેક્સન વધારે સારું થઇ શકતુ હતો જેના કારણે અમે હાર્યા છીએ.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

