પોતાના નિવેદનોને લઈને હેડલાઈન્સમાં રહેતી ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી ચર્ચામાં છે. આ વખતે તેમણે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માના સમર્થનમાં નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે જો સત્ય બોલવું બગાવત છે તો અમે પણ બાગી છે.
सच कहना अगर वगावत है तो समझो हम भी वागी हैं।
जय सनातन, जय हिंदुत्व…— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 9, 2022
સાધ્વી પ્રજ્ઞાએ ટ્વીટ કર્યું કે, જો સત્ય બોલવું એ બગાવત છે તો સમજી લેવું કે અમે પણ બાગી છીએ. જય સનાતન, જય હિંદુત્વ…” ટ્વીટ પછી સાધ્વી પ્રજ્ઞાએ નિવેદન આપ્યું હતું કે જ્યારે મુસ્લિમો સત્ય બતાવીએ છીએ ત્યારે તેમને આટલી તકલીફ કેમ થાય છે? કમલેશ તિવારીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેમણે જે કહ્યું તે પછી તેમની હત્યા કરવામાં આવી.
તેમણે કહ્યું કે હું કદાચ એટલા માટે બદનામ છું કે હું સાચું બોલું છું, પછી ભલે ગમે તે હોય. એ પણ હકીકત છે કે ત્યાં શિવ મંદિર હતું, છે અને રહેશે. તેને ફુવારો કહેવો એ આપણા હિંદુ આદર્શ, આપણા હિંદુ દેવતા સનાતનના મૂળ ધર્મ પર હુમલો છે, તેથી અમે સત્ય કહીશું.