Bhavnagar News: ભાવનગર સ્ટેટ જીએસટીએ ગેરરીતિના કેસમાં 125 પેઢીઓના ખાતા એટેચ કર્યા હતી. ગેરરીતિ આચરનારા વિરૂદ્ધ રિકવરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
કાળા નાણાંને જપ્ત કરવા ભાવનગર સ્ટેટ જીએસટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીએસટી વિભાગની ટીમે રેડ પાડી 125 પેઢીઓના બેંક ખાતા એટેચ કરાતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મોડી રાત્રે ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. આ પેઢીઓ પાસેથી 96 કરોડની રિકવરીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આર્થિક ગેરરીતિઓ આચરનારાને નોટિસ પાઠવવામાં આવી છે.
જીએસટી એસેસમેન્ટ દરમિયાન 600 કર્તાદાતાઓની આર્થિક ગેરરીતિઓ સામે આવતા પગલા ભરવામાં આવ્યા છે, ભાવનગર સ્ટેટ જીએસટી દ્વારા 96 કરોડની રિકવરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષકોની સામૂહિક બદલીના આદેશ
આ પણ વાંચો:અમદાવાદ, બરોડા સહિત લાંબા અંતરની ટ્રેનોમાં ચોરી કરતો દિલ્હીનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો: મેડિકલ કોલેજોમાં એક ઝાટકે 80 ટકાનો ફી વધારો