રાજકીય/ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને PM મોદીને કહ્યું….’આ શું નૌટંકી છે?

મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.  ડેપ્યુટી સીએમએ તેમની સામેની આ નોટિસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા

Top Stories India

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.  ડેપ્યુટી સીએમએ તેમની સામેની આ નોટિસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે, આ શું ખેલ છે?  મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું, તમારા બધા દરોડા ફેલ થઇ ગયા છે, કંઈ મળ્યું નથી, એક પૈસાની ચોરી નથી, હવે તમે લુક આઉટ નોટિસ જારી કરી છે કે મનીષ સિસોદિયા ઉપલબ્ધ નથી. આ શું નૈાટંકી છે મોદીજી? હું દિલ્હીમાં આઝાદ ફરું છું, બોલો ક્યાં આવવું? તમને હું મળી નથી રહ્યો?

ઉલ્લેખનીય છે કે  એક્સાઈઝ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 13 લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવી છે જેથી કરીને કોઈ દેશ છોડી ન જાય. આ પહેલા 20 ઓગસ્ટની સવારે સીબીઆઈએ મષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા 14 કલાક સુધી ચાલ્યા હતા