એન્કાઉન્ટર/ જમ્મુ-કાશ્મીરમાં, સુરક્ષા દળોએ આતંક પર કર્યો ડબલ વાર,બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ -કાશ્મીરના પુલવામાના વહીબાગ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શાહિદ બશીર તરીકે થઈ છે

Top Stories Uncategorized

જમ્મુ અને કાશ્મીરમાં, સુરક્ષા દળોએ શુક્રવારે આતંક પર ડબલ વાર કર્યો અને બે આતંકવાદીઓને માર્યા કર્યા. સુરક્ષાકર્મીઓએ પુલવામા અને શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાંથી એકે સામાન્ય નાગરિકની હત્યા કરી હતી, જ્યારે બીજાએ તાજેતરમાં શ્રીનગરમાં પોલીસ કર્મી અર્શીદ અહમદ મીરને માથામાં ગોળી મારી હતી.

આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે બેમિના એન્કાઉન્ટરમાં પ્રોબેશનરી સબ ઈન્સ્પેક્ટર અર્શીદનો હત્યારો માર્યો ગયો છે. 12 સપ્ટેમ્બરના રોજ આતંકીએ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં પાછળથી આર્શીદને માથામાં ગોળી મારી હતી. ઘાયલ અધિકારીને સૌરાની એસકેઆઇએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જો કે તે બચી શક્યો નથી. આ સમગ્ર ઘટના  CCTV માં કેદ થઈ હતી.

શુક્રવારે જ જમ્મુ -કાશ્મીરના પુલવામાના વહીબાગ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શાહિદ બશીર તરીકે થઈ છે. બશીર શ્રીનગરનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે તાજેતરમાં નાગરિક મોહમ્મદ સફી ડારની હત્યામાં પણ સામેલ હતો. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે આ હત્યાકાંડમાં એકે -47 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી આ ઘાતક હથિયારો અને મેગેઝિન મળી આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ત્રણ આતંકીઓ ત્યાં ઘેરાયેલા છે.