ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતાંની સાથે જ બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ લખનૌમાં પોતાનો મત આપ્યો. મતદાન કર્યા બાદ માયાવતીએ મીડિયા સાથે વાત કરી અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: આજે યુપીની 59 બેઠકો પર મતદાન, 2 કરોડ 12 લાખ મતદારો 624 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
માયાવતીએ કહ્યું, ‘મતદાતાઓને અપીલ છે કે, આ લોકશાહીનો તહેવાર છે, તેઓ મત આપવા માટે બહાર આવે. તમારો દરેક મત જરૂરી છે. પરમ પૂજ્ય ડૉ. ભીમ રાવ આંબેડકરના પ્રયાસોને કારણે જ અમને મતદાનનો અધિકાર મળ્યો છે. તેથી આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીની ઉજવણીમાં સૌએ ભાગ લેવો જોઈએ. બીએસપીને માત્ર દલિતો અને મુસ્લિમોના જ નહીં, પરંતુ સૌથી પછાત વર્ગ અને ઉચ્ચ જાતિના સમાજના પણ વોટ મળી રહ્યા છે.
BSP chief Mayawati casts her vote at Municipal Nursery School polling booth in Lucknow #UttarPradeshElections2022 pic.twitter.com/kev8eHhsHz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 23, 2022
“ભાજપ, સપા અને કોંગ્રેસ દલિત વિરોધી છે”
એક દિવસ પહેલા મંગળવારે માયાવતીએ ભાજપ, સપા અને કોંગ્રેસને દલિત વિરોધી અને પછાત ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, આ ત્રણેય પક્ષોએ સમાજના દલિત વર્ગના ઉત્થાન માટે કોઈ કામ કર્યું નથી. માયાવતીએ પયાગપુરમાં દેવીપાટન મંડળના બસપા ઉમેદવારોના સમર્થનમાં આયોજિત ચૂંટણી રેલીમાં આ વાત કહી હતી. કોંગ્રેસ પર કટાક્ષ કરતા માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ દલિતો અને આદિવાસીઓના હિત માટે માત્ર ડોળ કરી રહી છે અને તેની ખોટી નીતિઓને કારણે કોંગ્રેસ આજે દેશ અને ઘણા રાજ્યોમાં સત્તાથી દૂર છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસે બાબાસાહેબ (ભીમરાવ આંબેડકર)ને ભારત રત્ન આપ્યો ન હતો, જ્યારે કાંશીરામના મૃત્યુ પર રાષ્ટ્રીય શોક ટાળતા હતા, જેમણે તેમના મિશનને આગળ ધપાવ્યું હતું. કોંગ્રેસે મંડલ પંચની ભલામણો પણ લાગુ કરી ન હતી.
આ પણ વાંચો:ચોથા તબક્કાના મતદાન પહેલા CM યોગીએ ટ્વિટ કરીને જનતાને કરી આ અપીલ, જાણો શું કહ્યું
આ પણ વાંચો:આજે વાતાવરણમાં પલટો આવશે, જાણો ક્યાં રાજ્યોમાં વરસાદની સંભાવના
