ગુજરાત/ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના સગીરની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા કરાઈ

બાળકની નિર્મમ હત્યા કરનાર મૂકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે આકાશ તેની સાઇકલ પૂછ્યા વગર અવાર-નવાર ફેરવ્યા કરતો હતો

Gujarat
Untitled 25 2 ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના સગીરની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા કરાઈ

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના માસુમ બાળકોને ગળાટૂંપો દઇ નિર્મમ હત્યા કરી નાખ્યાની ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આરોપીએ બનાવને ઈલેક્ટ્રીક શોર્ટ દ્વારા અકસ્માતમાં ખપાવી દેવા બાળકના શરીરે ગરમ તેલના ડામ આપી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાની કહાની ઘડી કાઢી હતી પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના શિવરાજગઢ ગામે પ્રફુલભાઈ મદડીયા ની વાડીએ ખેત મજૂરી કામ કરતા રેખાબેન ઉર્ફે રેવકાબાઈ સંજયાભાઈ ડોડવે ના 13 વર્ષીય પુત્ર આકાશની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા થઈ હોવાના પગલે તાલુકા પોલીસ પીએસઆઇ એમ જે પરમાર, પીએસઆઇ ડી પી ઝાલા, વિપુલભાઇ ગુજરાતી સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો:Business / અદાણીને પાછળ છોડી અંબાણી એશિયાના સૌથી ધનિક, માર્ક ઝકરબર્ગ 14માં સ્થાને

બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બાળકના પરિવારજનો દ્વારા પ્રથમ ઈલેક્ટ્રીક સોટ લાગવાથી મોત નિપજયાનું જણાવાયું હતું પરંતુ સરકારી હોસ્પિટલના તબીબો અને બનાવ સ્થળ પર પોલીસને શંકા જતા બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવા થી મોત નિપજયાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવ અંગે મરણ જનાર બાળકના માતા રેખાબેન ની ફરિયાદ નોંધી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ બપોરના એક વાગ્યાની આસપાસ આકાશ પાડોશમાં રહેતા મુકેશભાઈ ની સાઇકલ ચલાવતો હતો અને થોડીવાર બાદ ત્યાં જોવા ન મળતા તેની તપાસ શરૂ કરતાં મગફળી ના પાલા ના ઢગલા ઉપર હાથ-પગે થી દાઝી ગયેલી હાલતમાં મૃત હાલત માં મળી આવ્યો હતો અને તેઓ દ્વારા મુકેશભાઈ પર શંકા વ્યક્ત કરતા પોલીસે ગણતરીની કલાકમાં મુકેશ કન્ડરાભાઈ જમેરા ઉ. 28 મૂળ એમપી વાળા ની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા મુકેશે ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો:Political / રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર કર્યો કટાક્ષ, કહ્યુ- નવુ ઈન્ડિયા ચાઈના નિર્ભર છે

બાળકની નિર્મમ હત્યા કરનાર મૂકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે આકાશ તેની સાઇકલ પૂછ્યા વગર અવાર-નવાર ફેરવ્યા કરતો હતો અને તેમાં પંચર પાડી દેતો હતો તે ઉપરાંત તેના સંતાનો સાથે ઝઘડો પણ કરતો હતો જેનો ખાર રાખી તેને ગળા ટુપો દઈ હત્યા નિપજાવી દીધી હતી બાદમાં આ હત્યાની ઘટનાને અકસ્માતમાં નિપજાવી દેવા ગરમ તેલ કરી રુ દ્વારા આકાશના શરીરે દાઝ્યાના ડાઘ પાડી દીધા હતા અને ઈલેક્ટ્રીક શોટસર્કિટથી તેનું મોત નિપજ્યા ની કહાની ઘડી કાઢી હતી આરોપીની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.